રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર, શેખ હસીના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી: વિદેશ મંત્રી

10:57 AM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બાંગ્લાદેશ હિંસા મુદ્દે સંસદમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં રાજનાથ સિંહ, કિરેન રિજિજુ, એસ જયશંકર, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રામ ગોપાલ યાદવ, ટીઆર બાલુ, સુદીપ બંદોપાધ્યાય, લાલન સિંહ, કેસી વેણુગોપાલ, મીસા ભારતી સહિત ઘણા નેતાઓ હાજર છે.

સંસદ ભવનમાં ચાલી રહેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં બાંગ્લાદેશ હિંસા પર ચર્ચા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક પૂરી થઈ છે. શેખ હસીના ભારતમાં જ રહેશે કે કોઇ અન્ય દેશમાં શરણ લેશે તેને લઇને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.

સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સર્વદળીય બેઠક બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બાંગ્લાદેશની સ્થિતિ પર અમારી નજર છે. બાંગ્લાદેશમાં 12 હજારથી 13 હજાર ભારતીયો રહે છે. ભારતીયોને અત્યારે પરત લાવવાની જરૂર નથી.

બેઠકમાં રાહુલ ગાંધીએ બહારના હાથ વિશે પૂછ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાહ્ય દળોની સંડોવણી વિશે વાત કરવી ખૂબ જ વહેલી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે શેખ હસીનાને થોડો સમય આપવા માંગે છે તે જાણવા માટે કે તે શું ઈચ્છે છે.

Tags :
indiaindia newsworld
Advertisement
Next Article
Advertisement