For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતની મોટી જીત!! 26/11 હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

10:12 AM Jan 25, 2025 IST | Bhumika
ભારતની મોટી જીત   26 11 હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવશે  અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

Advertisement

મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અમેરિકન કોર્ટમાં આ ભારત માટે એક મોટી જીત છે. ઓગસ્ટ 2024 માં યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાનો આદેશ આપ્યો.

Advertisement

પરંતુ રાણાએ નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. પરંતુ આ અંગેનો નિર્ણય શુક્રવારે, ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ આવ્યો. યુએસ સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી. તેથી, હવે આ આતંકવાદીને ભારત લાવવામાં આવશે. તેની ટ્રાયલ શરૂ થશે. 26/11 ના હુમલા અંગેના તેમના કાવતરા અંગે તેમની પૂછપરછ કરવામાં આવશે.

ભારત અનેક વર્ષોથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તે 2008ના મુંબઈ આતંકી હુમલા મામલે દોષિત છે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હતી. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન બિઝનેસમેન છે.

મુંબઈ પોલીસે 26/11ના આતંકવાદી હુમલાના સંબંધમાં પોતાની ચાર્જશીટમાં તહવ્વુર રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં રાણા પર 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાએ મુંબઈમાં જે સ્થળોએ હુમલા કરવાના હતા તેની રેકી કરી હતી અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement