યુક્રેન યુધ્ધમાં રશિયાના ડ્રોનમાં ભારતીય પાર્ટસનો ઉપયોગ
ઇરાની-ડિઝાઇનવાળા ડ્રોનમાં ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉપયોગ બાબતે યુક્રેને નવી દિલ્હી, ઇયુ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતથી ગુસ્સે છે અને દંડની જાહેરાત કરી છે, ત્યારે યુક્રેને હવે આરોપ લગાવ્યો છે કે રશિયન સેના દ્વારા તેની વિરુદ્ધ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ઈરાની-ડિઝાઇન કરેલા ડ્રોનમાં ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક ભાગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે યુક્રેને ઔપચારિક રીતે ભારત સરકાર અને યુરોપિયન યુનિયન (EU) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત અથવા એસેમ્બલ કરાયેલા ઇલેક્ટ્રોનિક ભાગો ઈરાની-ડિઝાઇન કરેલા ડ્રોનમાં મળી આવ્યા છે.
ગયા વર્ષથી તોડી પડાયેલા થયેલા 136 માનવરહિત લડાયક હવાઈ વાહનો (UCAV) માં આ ભાગો મળી આવ્યા પછી, યુક્રેનિયન પક્ષે ઓછામાં ઓછા બે વખત ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઔપચારિક રાજદ્વારી પત્રવ્યવહાર દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો છે.
સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે યુક્રેનિયન રાજદ્વારીઓએ જુલાઈના મધ્યમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન EU પ્રતિબંધોના રાજદૂત ડેવિડ ઓથસુલિવન સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઓથસુલિવન ગયા મહિને ભારતીય અધિકારીઓને EUના નવીનતમ પ્રતિબંધ પેકેજ વિશે માહિતી આપવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, જેમાં રશિયન ઊર્જા કંપની રોઝનેફ્ટની સંયુક્ત માલિકીની વાડીનાર રિફાઇનરીને સૂચિબદ્ધ કરવામાં આવી હતી, અને રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા રિફાઇન્ડ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધનો સમાવેશ થતો હતો.
દસ્તાવેજો અનુસાર, યુક્રેનિયન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્થાપિત થયું છે કે રશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા શાહેદ 136 ડ્રોનના ઉત્પાદનમાં વિશાય ઇન્ટરટેકનોલોજી અને ઓરા સેમિક્ધડક્ટરના ઇલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પછી ભલે તે ભારતમાં એસેમ્બલ હોય કે ઉત્પાદિત હોય. આ દસ્તાવેજોમાં ચોક્કસ ભાગોની વિગતવાર માહિતી અને ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે.
દસ્તાવેજો અનુસાર, ઈરાની-ડિઝાઇન કરેલા ડ્રોન શાહિદના વોલ્ટેજ રેગ્યુલેટર યુનિટમાં ભારતીય કંપની વિશય ઇન્ટરટેકનોલોજીના બ્રિજ રેક્ટિફાયર E300359નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ડ્રોનની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમના જામર-પ્રૂફ એન્ટેનામાં ઓરા સેમિક્ધડક્ટર દ્વારા ઉત્પાદિત PLL-આધારિત સિગ્નલ જનરેટર AU5426A ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સંપૂર્ણપણે ટેકનિકલ આધાર પર, બંને કંપનીઓએ કોઈપણ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.
નવી દિલ્હીમાં યુક્રેનિયન દૂતાવાસ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (HUR) એ તેના સત્તાવાર ફેસબુક પેજ અને ટેલિગ્રામ ચેનલ પર શાહિદ ડ્રોનમાં મળી આવેલા ભારતીય મૂળના ભાગો વિશે અહેવાલ આપ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
આ બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું ભારત દ્વારા દ્વિ-ઉપયોગી વસ્તુઓની નિકાસ પરમાણુ અપ્રસાર પરની તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે સુસંગત છે, અને તે તેના મજબૂત સ્થાનિક કાનૂની અને નિયમનકારી માળખા પર આધારિત છે. આવી નિકાસ અમારા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન ન કરે તેની ખાતરી કરવા માટે યોગ્ય તપાસ કરવામાં આવે છે.