ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇમરાન સમર્થકોની કૂચ હિંસક બની, 4 રેન્જર્સને કચડી નાખ્યા

11:05 AM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે સેંકડો સમર્થકો ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. ઈમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર રેન્જર્સને વાહનોથી કચડી નાખ્યા હતા. જેમાં 4 પેરાટ્રૂપર્સના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આવા હુમલામાં ચાર રેન્જર્સ અને બે પોલીસ અધિકારીઓના જીવ ગયા છે. જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કલમ 245 હેઠળ પાકિસ્તાની સેનાને બોલાવવામાં આવી છે, અશાંતિ અને આતંકવાદીઓ સાથે કડક કાર્યવાહી કરવા કડક આદેશ જારી કરવામાં આવ્યા છે. તેથી જોતાં જ ગોળી મારવાના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે.

Advertisement

દેખાવકારોએ ઇમરાનની મુક્તિની તેમની માંગની જાહેરાત કરી છે અને સંસદ સુધી કૂચ અને ધરણાની પણ જાહેરાત કરી છે. આ અંગે સરકારે કડક નાકાબંધી કરી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ ઈમરાનના સમર્થકોએ બેરિકેડ્સ હટાવી દીધા હતા, જે દરમિયાન પીટીઆઈના કાર્યકરોની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન, 72, ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે, કારણ કે તેમણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જેમાં તેમણે ચોરાયેલ જનાદેશ, લોકોની અન્યાયી ધરપકડ અને 26મા સુધારાને પસાર કરવાની નિંદા કરતા કહ્યું કે તેનાથી નસ્ત્રસરમુખત્યારશાહી શાસનસ્ત્રસ્ત્ર મજબૂત બન્યું છે.

Tags :
Imran supporterspakistan newsRangersworld
Advertisement
Next Article
Advertisement