ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાન છે સુરક્ષિત!! મુલાકાત બાદ બહેને કહ્યું- તેમને ટૉર્ચર કરાયા

06:53 PM Dec 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાતૂન રાવલપિંડીની અદિયાલા જેલમાં તેમને મળી હતી. 20 મિનિટની મુલાકાત પછી તેઓ જેલમાંથી બહાર આવ્યા અને ઇમરાન વિશે માહિતી આપી. ઉઝમાએ જણાવ્યું કે ઇમરાન ખાનની તબિયત સારી છે, પરંતુ તેમને એકાંતમાં રાખવામાં આવ્યા છે. જેલમાં તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હતા. ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે છેલ્લા સમાચાર 4 નવેમ્બરના રોજ આવ્યા હતા, જ્યારે તેમની બહેન અલીમા તેમની મુલાકાત લીધી હતી. આ પછી, તેમના સ્વાસ્થ્ય વિશે વિવિધ અટકળો ફેલાઈ રહી હતી.

ઉઝમાએ કહ્યું કે ઇમરાન ખૂબ ગુસ્સે હતા. તેમણે કહ્યું કે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, આખો દિવસ એક રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો, અને તેમને કોઈની સાથે વાતચીત કરવાની મંજૂરી નહોતી. તેમણે જે કંઈ થઈ રહ્યું હતું તેના માટે આર્મી ચીફ મુનીરને જવાબદાર ઠેરવ્યા હતા.

જેલની બહાર હજારો સમર્થકો એકઠા થયા

મંગળવારે ઇમરાન ખાનને મળવા માટે હજારો સમર્થકો અદિયાલા જેલની બહાર એકઠા થયા હતા. પોલીસ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે અનેક સ્થળોએ ઝઘડો થયો હતો. સમર્થકો "ઇમરાનને મુક્ત કરો" અને "ઇમરાન ઝૂકશે નહીં" જેવા નારા પણ લગાવી રહ્યા છે.

ગયા અઠવાડિયે, ઇમરાનની બહેનોએ આ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ઇમરાનની બહેન આલીમાના જણાવ્યા અનુસાર, જેલ વહીવટીતંત્ર તેના ભાઈના કેસમાં કોર્ટનો તિરસ્કાર કરી રહ્યું છે. પીટીઆઈ સમર્થકોના વિરોધને ધ્યાનમાં રાખીને, ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં બે અઠવાડિયા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Tags :
Imran Khanpakistanpakistan newsworldWorld News
Advertisement
Next Article
Advertisement