ભારત તરફથી હુમલાનો હાઉ: પાક.માં દાણાપાણીનો સ્ટોક ભેગો કરવા આદેશ
ભારત હુમલો કરવા જઈ રહ્યું છે! આ ડર આ સમયે આખા પાકિસ્તાનને ઉંઘવા નથી દેતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પણ ગભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી તંગ છે કે, પીઓકે સરકારે 13 સરહદી વિસ્તારોના લોકોને બે મહિના માટે રાશનનો સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે. પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે જે વલણ બતાવ્યું છે તેનાથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે.
LoCની પેલે પાર બંકરોમાં છુપાયેલી પાકિસ્તાની સેના અને POKના લોકો રાશનનો સ્ટોક કરી રહ્યા છે, આ બધું દર્શાવે છે કે પાકિસ્તાન ભારતના બદલાથી કેટલું ડરી ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સતત ગોળીબાર થઈ રહ્યો છે. પરંતુ આ વખતે ફરક એ છે કે ભારત શાંત બેઠું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. હવે તેની અસર પણ દેખાઈ રહી છે. POKની રાજધાની મુઝફ્ફરાબાદમાં મદરેસા બંધ કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓ પર લશ્કરી ટ્રકો છે. રાશન ડેપો પર કતાર છે. પાકિસ્તાની નેતાઓના શબ્દોમાં ભારતનો ડર છુપાયેલો છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના પીએમ ચૌધરી અનવર-ઉલ-હકે પોતે વિધાનસભામાં સ્વીકાર્યું કે, પરિસ્થિતિ ગંભીર છે. એક અબજ પાકિસ્તાની રૂૂપિયાનું ઇમરજન્સી ફંડ બનાવવામાં આવ્યું છે. એકમાત્ર હેતુ કોઈપણ લશ્કરી કાર્યવાહીની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. રસ્તાઓના સમારકામ માટે ખાનગી અને સરકારી મશીનરી તૈનાત કરવામાં આવી છે.