બારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયું
પંજાબ, કાશ્મીરમાં અનેક સ્થળોએ ધમાકાનો અવાજ: પાક. ગોળીબારમાં પાંચ નાગરિકનાં મોત
પહેલગામ હુમલા સામે ભારતની ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીથી ફેલાયેલા ગભરાટમાં, 8-9 મેની રાત્રે, ભારતીય દળોએ કાશ્મીરથી કચ્છ સુધીના 26 સ્થળોએ ડ્રોન હુમલાના પ્રયાસોને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. આ હુમલાઓને અંજામ આપવા માટે, પાકિસ્તાને ભારતીય હવાઈ ક્ષેત્રમાં લગભગ 300 થી 400 ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો. તેમાંથી લગભગ 70 ડ્રોનને ભારતે તોડી પાડ્યા હતા અને બાકીના પાછા ફર્યા હતા. બીજી તરફ પાકિસ્તાને કાશ્મીરમાં અંકુશી રેખાએ ગોળીબાર ચાલુ રાખતા પાંચ નાગરિકોના મોત થયા હતાં.
ગુરુવારે રાત પડતાની સાથે જ પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલા શરૂૂ કરી દીધા હતા, હવે શુક્રવારે પણ રાત્રે 8:30 વાગ્યે ભારતના સરહદી જિલ્લાઓ ફિરોઝપુર, અમૃતસર, પઠાણકોટમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા.
ફિરોઝપુરના ખાઈ ફેમી કેમાં ડ્રોન છોડવામાં આવ્યું હતું જેના કારણે ઘરમાં આગ લાગી હતી. આગમાં ત્રણ લોકો દાઝી ગયા હતા અને એક કારમાં આગ લાગી હતી.પાકિસ્તાને અત્યાર સુધીમાં 20 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા છે. આજે પાકિસ્તાન સતત રહેણાંક વિસ્તારોમાં ડ્રોન છોડી રહ્યું છે. જોકે, ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.
પંજાબના બિયાસમાં, 9 વાગ્યાથી સતત 4-5 ધડાકા સંભળાયા. બિયાસના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, લશ્કરી સ્ટેશનની અંદરથી લગભગ 6 ગોળીબારના અવાજ સંભળાયા હતા અને ત્યારબાદ બિયાસ નદીની દિશામાંથી આગ આવતી જોવા મળી હતી.ગુરદાસપુરના ડેરા બાબા નાનક પાસે પાકિસ્તાનથી બે ડ્રોન આવતા જોવા મળ્યા. આ ડ્રોનને બીએસએફ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
કાશ્મીર ખીણમાં પણ ડ્રોન હુમલા થયા છે. દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. ત્રણથી ચાર ડ્રોન અમૃતસર પહોંચ્યા હોવાના અહેવાલ છે. તેમનું લક્ષ્ય અમૃતસર કેન્ટ વિસ્તારના અજનાલા રોડ પર સ્થિત એરફોર્સ સ્ટેશન હતું, જેને તટસ્થ કરવામાં આવ્યું છે. આ કારણે હવામાં લગભગ 15 થી 20 વિસ્ફોટ થયા.
જમ્મુ અને કાશ્મીરના નાગરોટામાં 15થી વધુ મિસાઇલો છોડવામાં આવી છે. ભારતીય સેના દ્વારા બારોટામાં મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી છે.ફિરોઝપુરના ખાઈ ફેમીમાં ડ્રોન છોડવામાં આવ્યું હતું જેના કારણે એક ઘરમાં આગ લાગી હતી. ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તરનતારન જિલ્લાના હરીક શહેરમાં 4 થી 6 મિસાઇલ હુમલા થયા છે.
અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર સ્થિત એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ થયો છે. જેને તોડી પાડવામાં આવ્યું છે.
પાક. હુમલામાં કાશ્મીરના વિકાસ કમિશનર શહીદ
પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાં જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીનું મોત થયું છે, જેની માહિતી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આપી છે.તેમણે પોસ્ટ પર લખ્યું, રાજૌરીથી દુ:ખદ સમાચાર. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલે જ, તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાની ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજૌરી શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આમાં આપણા અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપાનું મૃત્યુ થયું.સવારે લગભગ 5.30 વાગ્યે પાકિસ્તાનથી હુમલો થયો ત્યારે થાપા તેમના ઘરે હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને તે બહાર આવ્યો. આ પછી તે તેના રૂૂમમાં ગયો. આ પછી, તેમનો રૂૂમ પણ પાકિસ્તાની હુમલામાં નિશાન બન્યો. આ ઉપરાંત, આ હુમલાઓમાં અન્ય બે લોકોના પણ મોત થયા હતા. તેમાં એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે.