For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી; ઇમરાનના હજારો સર્મથકોની ઇસ્લામાબાદ તરફ કૂચ

11:07 AM Aug 22, 2024 IST | Bhumika
પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી  ઇમરાનના હજારો સર્મથકોની ઇસ્લામાબાદ તરફ કૂચ
Advertisement

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના હજારો સમર્થકો રાજધાની ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છે. આ લોકોએ બપોરે 3 વાગ્યે એકઠા થવાની જાહેરાત કરી છે, જ્યારે વહીવટીતંત્ર તેમને પ્રવેશ ન આપવા મક્કમ છે. જેના કારણે ફરી એકવાર ગત વર્ષે મે માસ જેવો મોટો ધમાસાણ થવાની ભીતિ વર્તાવા લાગી છે.

ગયા વર્ષે મે મહિનાથી જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના હજારો સમર્થકો આજે ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના હજારો સમર્થકો ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પંજાબ જેવા પ્રાંતોમાંથી ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે. આ સમર્થકોએ આજે બપોરે રેલી યોજવાનું નક્કી કર્યું છે. આ રેલીનું નેતૃત્વ ખૈબર પખ્તુનખ્વાના સીએમ અલી અમીન ગાંડાપુર કરશે. ઈસ્લામાબાદ પ્રશાસને આ રેલી માટે આપવામાં આવેલ એનઓસી રદ કરી દીધું છે, જેના કારણે તણાવ વધી ગયો છે.

Advertisement

ઈમરાનના સમર્થકો પ્રતિબંધ બાદ પણ ઈસ્લામાબાદ તરફ જવા મક્કમ છે.પાકિસ્તાન પંજાબ સરકારે આ લોકોને આગળ વધતા રોકવા માટે ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી છે. પંજાબમાં કોઈપણ પ્રકારના રાજકીય મેળાવડા પર પણ પ્રતિબંધ છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થકો ઈસ્લામાબાદમાં રેલી માટે પરવાનગીની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમ થયું ન હતું. અંતે 22 ઓગસ્ટે એસેમ્બલ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ રેલી માટે ખૈબર પખ્તુનખ્વાના હજારો લોકો આગળ વધી રહ્યા છે. તેમને રોકવા માટે પ્રશાસને ઈસ્લામાબાદના એન્ટ્રી પોઈન્ટ પર વિશાળ ક્ધટેનર મુક્યા છે.

જો આ લોકો પર લાઠીચાર્જ કે બળપ્રયોગ કરવામાં આવશે તો સ્થિતિ વધુ બગડી શકે છે. આ પહેલા જ્યારે ગત વર્ષે 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. સૈન્ય સંસ્થાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તે કેસમાં પીટીઆઈના ઘણા નેતાઓ હજુ પણ જેલમાં છે. ઈમરાન ખાન પોતે જેલમાં છે. અગાઉ રમઝાન દરમિયાન ઈસ્લામાબાદ પ્રશાસને પીટીઆઈને રેલી યોજવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ પીટીઆઈએ કહ્યું કે અમારા કાર્યકરો મસ્જિદોમાં વ્યસ્ત છે.

ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદના તરનોલમાં એકઠા થવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ પ્રશાસને 31 જુલાઈએ રેલી માટે એનઓસી જારી કર્યું હતું, પરંતુ હવે તેને પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં હજુ પણ ઈમરાન ખાનની પાર્ટી સત્તા પર છે. તેમનો ત્યાં પણ સારો પ્રભાવ છે અને ઈમરાન ખાન પોતે પઠાણ છે અને મૂળ ખૈબરના છે. આવી સ્થિતિમાં હજારો લોકો ત્યાંથી ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાન સરકારને આશંકા છે કે આજે કોઈ મોટો હંગામો થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement