ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મ્યાનમારમાં બૌધ્ધ ઉત્સવ પર સેનાનો હુમલો, 40નાં મોત

11:31 AM Oct 09, 2025 IST | Bhumika
Advertisement

લશ્કરના પેરાગ્લાઇડિંગ દળે આકાશમાંથી બોમ્બ ફેેંકયા: 80 લોકો ઇજાગ્રસ્ત

Advertisement

ગઇકાલે એક બૌધ્ધ ઉત્સવ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન પર મ્યાનમાર લશ્કરી હુમલામાં બાળકો સહિત 40 લોકો માર્યા ગયા હતા અને 80 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 2021ના બળવામાં સૈન્યએ સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમાર ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, જેના કારણે લોકશાહી તરફી બળવાખોરોએ શસ્ત્રો ઉપાડ્યા અને જુન્ટા વિરુદ્ધ વંશીય સશસ્ત્ર જૂથો સાથે જોડાણ કર્યું.

આ કાર્યક્રમનું આયોજન કરનાર સમિતિના સભ્યના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે મધ્ય મ્યાનમારના ચાઉંગ યુ ટાઉનશીપમાં સેંકડો લોકો થાડિંગ્યુટ પૂર્ણિમાના તહેવાર માટે ભેગા થયા હતા ત્યારે સૈન્યની પેરાગ્લાઇડીંગ ટુકડીએ ભીડ પર બોમ્બ ફેંક્યા હતા.
સુરક્ષા કારણોસર નામ ન આપવાની વિનંતી કરતી મહિલાએ જણાવ્યું હતું
કે લોકો સાંજે 7:00 વાગ્યે ઉત્સવ અને જુન્ટા વિરોધી પ્રદર્શન માટે ભેગા થઈ રહ્યા હતા ત્યારે બોમ્બ વિસ્ફોટમાં 40 થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 80 અન્ય ઘાયલ થયા.

સમિતિએ લોકોને ચેતવણી આપી અને ભીડનો એક તૃતીયાંશ ભાગી જવામાં સફળ રહ્યો, તેણીએ AFPને જણાવ્યું. નસ્ત્રપરંતુ તરત જ, એક મોટર સંચાલિત પેરાગ્લાઇડર ભીડ પર ઉડી ગયું, અને મેળાવડાના મધ્યમાં બે બોમ્બ ફેંકી દીધા.

બાળકોને પણ સૈન્યએ છોડયા ન હતા અને બોમ્બમાં તેમના સંપૂર્ણપણે ફુરચા નિકળી ગયા હતા. પ્રત્યક્ષદર્શી અહેવાલ જણાવતા એક મહીલાએ જણાવ્યું હતું કે ઉપરથી ઉડતું બીજું મોટર સંચાલિત પેરાગ્લાઇડર આ વિસ્તાર પર હુમલા કરીને નાશી ગયું હતું. ત્યારે તેણીએ કહ્યું કે લોકો ઘાયલોને મદદ કરવા દોડી આવ્યા હતા.

આજ સવાર સુધી, અમે હજુ પણ જમીન પરથી શરીરના ભાગો - માંસના ટુકડા, અંગો, શરીરના ભાગો એકત્રિત કરી રહ્યા હતા જે ઉડીને તૂટી ગયા હતા. સોમવારે કાર્યક્રમમાં હાજરી આપનાર ચાંગ યુના રહેવાસીએ અંદાજિત મૃત્યુઆંકની પુષ્ટિ કરી, અને કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે પેરામોટર ઉપરથી ઉડી રહ્યું છે ત્યારે લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો.

Tags :
Army attacksBuddhist festivalMyanmarMyanmar newsworldWorld News
Advertisement
Next Article
Advertisement