For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

23 મિનિટ, 9 ઠેકાણા, 100થી વધુ આતંકીનો ખાત્મો

11:07 AM May 07, 2025 IST | Bhumika
23 મિનિટ  9 ઠેકાણા  100થી વધુ આતંકીનો ખાત્મો

ભારતે કરી બતાવ્યું, પાકિસ્તાનમાં 150 કિ.મી.અંદર ઘુસી ભારતીય એરફોર્સેે મચાવી તબાહી, પાક.નું JF-17 ફાઈટર જેટ તોડી પડાયું

Advertisement

જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્ીનના ઠેકાણાં ધ્વસ્ત, અનેક આતંકીઓના મોત, લશ્કરી-અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરતી કેન્દ્ર સરકાર

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેનાએ આજે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારતીય સશસ્ત્ર દળોએ ભારત પરના ઘણા હુમલાઓ પાછળ રહેલા આ આતંકવાદી છાવણીઓને ઓળખી અને નિશાન બનાવ્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, વાયુસેનાના હુમલામાં 4 જૈશ-એ-મોહમ્મદ, 3 લશ્કર-એ-તૈયબા અને 2 હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારમાં ભારતીય સેના દ્વારા એક પાકિસ્તાની JF-17 ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારના ભરડા કલાનમાં JF-17 પાયલોટ સાથે ક્રેશ થયું હોવાના અહેવાલ છે.

Advertisement

આ હુમલામાં 100 થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ ઓપરેશન મધરાત બાદ 1.30 વાગ્યે હાથ ધરાયું હતું. ઓપરેશનમાં ભારતનો અદ્યતન ફાઈટર મિરાજ 2000 અને સુખોઈ 30 જેટએ બહાલપુર, કોટલી અને મુઝફરાબા વિસ્તારોને નિશાન બનાવ્યા હતાં અને 24 મિસાઈલ દાગી આતંકી અડ્ડાઓનો ખાત્મો કર્યો હતો.
આ હુમલાના પગલે પાકિસ્તાન સાથે યુધ્ધ જેવી સ્થિતિ સર્જાતા ભારત સરકારે તમામ લશ્કરી અને અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરી નાખી છે તેમજ મહત્વના તમામ એરપોર્ટ ઉપર પ્રવાસી ગતિવિધીઓ બંધ કરી અનામત રાખી દીધા છે.

ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા આતંકવાદી ઠેકાણાઓમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય પણ શામેલ છે. આ ઉપરાંત લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પ પણ નષ્ટ કરવામાં આવ્યા છે. સૌથી મોટો હુમલો બહાવલપુરમાં કરવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી અંદર સ્થિત છે અને જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે.

હવે તેનો ઉકેલ આવી ગયો છે.તેવી જ રીતે, સાંબા સેક્ટર બોર્ડરથી 30 કિમી અંદર મુરીદકે નામના સ્થળે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો. તે પણ જમીનમાં ભળી ગયું છે. મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાના આતંકવાદીઓ અહીંના જ હતા. સેના દ્વારા ત્રીજો હુમલો ગુલપુરમાં કરવામાં આવ્યો, જે પૂંછ-રાજૌરીના નિયંત્રણ રેખાની અંદર લગભગ 35 કિમી દૂર છે. 20 એપ્રિલ 2023ના રોજ પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા અને જૂન 2024માં મુસાફરોથી ભરેલી બસ પર થયેલા હુમલાના મૂળ અહીં જ હતા.

પીઓકેના તંગધાર સેક્ટરમાં 30 કિલોમીટર અંદર સ્થિત લશ્કર કેમ્પ સવાઈને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ કેમ્પ 20 ઓક્ટોબર 2024ના રોજ સોનમર્ગ હુમલા, 24 ઓક્ટોબર 2024ના રોજ ગુલમર્ગ અને 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ હુમલા માટે જવાબદાર છે.

સેના દ્વારા નિશાન બનાવવામાં આવેલું પાંચમું સ્થાન બિલાલ કેમ્પ હતું, જે જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ હોવાનું કહેવાય છે. છઠ્ઠું સ્થાન લશ્કર કોટલી કેમ્પ હતું, જે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાની અંદર 15 કિમી દૂર છે. અહીં લશ્કરનું બોમ્બ વિસ્ફોટ તાલીમ કેન્દ્ર હતું અને તેમાં લગભગ 50 આતંકવાદીઓને સમાવવાની ક્ષમતા હતી.

સાતમું સ્થાન બર્નાલા કેમ્પ હતું જે રાજૌરી જિલ્લાની સામે કજ્ઞઈ ની અંદર માત્ર 10 કિમી દૂર છે. આઠમા સ્થાન તરીકે, સરજલ કેમ્પ, જે જૈશનો કેમ્પ હોવાનું કહેવાય છે, તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. તે સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 8 કિમી અંદર છે.

પહેલગામ હુમલામાં મહિલાઓનુ સિંદૂર ભૂંસાયુ એટલે મોદીએ નામ આપ્યું ‘ઓપરેશન સિંદૂર’

આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરતા, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે, જેનું સૂચન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. પહેલગામમાં થયેલા હુમલામાં આતંકવાદીઓએ પુરુષોને નિશાન બનાવ્યા હતા, જેમાં ઘણી સ્ત્રીઓ વિધવા બની છે. તેથી, ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ, નરેન્દ્ર મોદીએ બિહારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે ભારત તેની સામે કડક કાર્યવાહી કરશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત સરકાર અને સશસ્ત્ર દળો સતત તૈયારીઓ કરી રહ્યા હતા. તાજેતરમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી હતી. પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક યોજી. હવે, એક સંયુક્ત ઓપરેશન હેઠળ, ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા છે અને આ સાથે, પાકિસ્તાનનું ગૌરવ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું છે.

અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી: જવાબ આપવાનું વિચારતા પણ નહીં
ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી પહલગામ અટેકને લઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યાર બાદ હવે અમેરિકાએ પણ પાડોશી દેશને ચેતવણી આપી છે. વ્હાઈક હાઉસના સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો છે કે અમેરિકી એનએસએ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ભારતની સ્ટ્રાઈક વિરુદ્ધ કોઈ પણ પ્રકારની એક્શન લેવાનું પાકિસ્તાન વિચારે પણ નહીં. ભારત સામે જંગ કરવાની હોંશિયારી ન કરતા. સાથે જ ભારતને લઈને રુબિયોએ કહ્યું કે, ભારતને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીનો અધિકાર હતો. હવે ભારત તરફથી કરવામાં આવેલા આ એટેકના જવાબમાં પાકિસ્તાન કોઈ હુમલા ન કરવાનો પ્લાન બનાવે. તેની સાથે જ્યાં પાકિસ્તાન તરફથી ભારતને જવાબ આપવાની વાત થઈ રહી છે, તો વળી માર્કો રુબિયોએ પાકિસ્તાની એનએસએ સાથે વાત કરી શાંત બેસી રહેવા માટે કહ્યું છે. પાકિસ્તાનને અમેરિકાએ ચેતવણી આપી છે, ભારતની સ્ટ્રાઈકનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement