રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉજ્જૈનના નવા સીએમ વતનમાં રાત નહીં રહી શકે

11:35 AM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

મધ્યપ્રદેશના નવા સીએમનું નામ લાંબી વિસામણ બાદ આખરે નક્કી કરવામાં આવ્યું છે. શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા મોહન યાદવને વિધાનસભ્ય પક્ષ દ્વારા તેના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને તેમને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી આ પદ પર રહેલા અને હવે આઉટગોઇંગ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની નજીકના લોકોમાં રહેલા ડો. મોહન યાદવ હવે રાજ્યના નવા વડા બન્યા છે, પરંતુ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘરથી દૂર રહેવાની કિંમત ચૂકવવી પડશે. બાબા મહાકાલની નગરી સાથે જોડાયેલી એક દંતકથાને કારણે તેઓએ સાવચેતી રાખવી પડશે.
પ્રાચીન સમયથી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં એવી માન્યતા છે કે જો કોઈ રાજા ઉજ્જૈનમાં રાત વિતાવે તો તેને પોતાનું રાજ્ય ગુમાવવું પડે છે. આજે પણ ઉજ્જૈનના લોકો માને છે કે જો કોઈ રાજા, સીએમ, વડાપ્રધાન કે જનપ્રતિનિધિ ઉજ્જૈન શહેરની હદમાં રાત વિતાવવાની હિંમત કરે તો તેને આ ગુનાની સજા ભોગવવી પડે છે.
પૌરાણિક કથાઓ અને સિંહાસન બત્રીસી અનુસાર, રાજા ભોજના સમયથી, કોઈ રાજા ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ કરતા નથી, કારણ કે આજે પણ બાબા મહાકાલ ઉજ્જૈનના રાજા છે. જ્યારે મહાકાલ ઉજ્જૈનમાં રહેતો હતો, ત્યારે અન્ય કોઈ રાજા, મંત્રી કે જનપ્રતિનિધિ રાત્રે ઉજ્જૈન શહેરની અંદર રહી શકતા ન હતા. એટલું જ નહીં ઉજ્જૈનના ઈતિહાસમાં ઘણા ઉદાહરણો છે જે આ કલ્પનાને યોગ્ય ઠેરવે છે.
ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ 20 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. દેશના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈ જ્યારે મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ ઉજ્જૈનમાં એક રાત રોકાયા હતા ત્યારે બીજા જ દિવસે મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગી હતી. વર્તમાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રાત્રે ઉજ્જૈન શહેરમાં રોકાતા નથી.
મધ્ય પ્રદેશનાં નવા ઈખ મોહન યાદવનું બાળપણ ઉજ્જૈનની ગલીઓમાં વીત્યું હતું. ખઙના નવા વડા ડો.મોહન યાદવ મૂળ ઉજ્જૈનના રહેવાસી છે. ઉજ્જૈનના અબ્દાલપુરાને તેમનું આંગણું અને ફ્રીગંજને તેમનું કાર્યસ્થળ કહેવામાં આવે છે. બીએસસી અને એલએલબીની સાથે, ડો. યાદવે પીએચડીની ડિગ્રી મેળવવા માટે પોલિટિકલ સાયન્સમાં એમએ પણ કર્યું. તેની પાસે એમબીએની ડિગ્રી પણ છે. અગાઉની ભાજપ સરકાર દરમિયાન ઉચ્ચ શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ડો.મોહન યાદવ પણ વ્યવસાયે વકીલ છે. તેમની રુચિની પ્રવૃત્તિઓમાં પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત વગેરેનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Tags :
hishometowninovernightThe new CM of Ujjain cannot stay
Advertisement
Next Article
Advertisement