કોંગ્રેસ હાઇકમાન્ડે માગ્યું કમલનાથનું રાજીનામું
11:07 AM Dec 05, 2023 IST | Sejal barot
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ હાઈકમાન્ડ એક્શન મોડમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડે કમલનાથને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાઈકમાન્ડને લાગે છે કે, કમલનાથે ભાજપના શિવરાજ સિંહ ચૌહાણની જેમ સક્રિયતા દર્શાવી નથી. પાર્ટીએ કમલનાથને રાજ્યના સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા હતા. હાઈકમાન્ડે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી પરંતુ પરિણામ કોંગ્રેસની તરફેણમાં બિલકુલ આવ્યા ન હતા.
કમલનાથનો ગઢ કહેવાતા મહાકૌશલમાં પણ આ વખતે ભાજપે દાવ ખેલ્યો છે. જો કે, ગત ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસ છિંદવાડા જિલ્લામાં કમલનાથના પ્રભાવ હેઠળની તમામ 7 બેઠકો જીતવામાં સફળ રહી છે, પરંતુ તેને મહાકૌશલની 8 બેઠકો ગુમાવવી પડી છે.
Advertisement
Advertisement