For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાલિસ્તાની આતંકી પન્નુની 13મીએ સંસદભવન ઉડાવી દેવાની નવી ધમકી

11:12 AM Dec 06, 2023 IST | Sejal barot
ખાલિસ્તાની આતંકી પન્નુની 13મીએ સંસદભવન ઉડાવી દેવાની નવી ધમકી

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂએ ફરી એક વખત ભારતને ધમકી આપી છે. પન્નૂએ ભારત પર હુમલાનો એક ધમકી આપતો વીડિયો શેર કર્યો છે. પન્નૂએ વીડિયોમાં કહ્યું કે મારી હત્યાનું ષડયંત્ર નિષ્ફળ થયું. હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને તેનો જવાબ આપીશ. મહત્ત્વપૂર્ણ છે કે 13 ડિસેમ્બર 2001માં સંસદ ભવન પર આતંકી હુમલો થયો હતો.
પન્નૂએ વીડિયોમાં કહ્યું કે ભારતીય એજન્સીઓએ તેની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું જે નિષ્ફળ ગયું. હવે તે હુમલાના પ્લાનિંગના જવાબમાં 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નૂએ સંસદ ભવન પર હુમલામાં દોષી અફજલ ગુરૂૂ સાથેનું એક પોસ્ટર પણ શેર કર્યુ છે જેમાં લખ્યુ છે દિલ્હી બનેગા પાકિસ્તાન. સુરક્ષા એજન્સીઓએ પન્નૂના નવા વીડિયોને જોઇને જણાવ્યું કે પન્નૂના વીડિયોનો કોન્ટેન્ટ સાંભળીને સ્પષ્ટ લાગી રહ્યું છે કે પન્નૂને સ્ક્રિપ્ટ પાકિસ્તાનની જાસુસી એજન્સી ઈંજઈંના ઊં-2 ડેસ્કે લખીને આપી છે.
વીડિયોમાં પન્નૂ એક તરફ ખાલિસ્તાનીનો એજન્ડા ચલાવી રહ્યો છે તો અફજલ ગુરૂૂનું નામ લઇને કાશ્મીરી આતંકીઓ અને પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાને પણ સાધી રહ્યો છે. પન્નૂના આ વીડિયો પછી સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.
આ પહેલા પણ ખાલિસ્તાની આતંકી પન્નૂ ધમકી આપી ચુક્યો છે. પન્નૂએ કેટલાક સમય પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેને ધમકી આપી હતી કે અમે શિખ લોકોને 19 નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટ્રાવેલ ના કરવા માટે કહી રહ્યાં છીએ. આ એક વૈશ્વિક નાકાબંધી હશે, તેને કહ્યું કે 19 નવેમ્બરે એર ઇન્ડિયાથી ટ્રાવેલ ના કરો, નહીં તો તમારો જીવ ખતરામાં પડી જશે. પન્નૂએ આગળ દાવો કર્યો હતો કે દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલી નાખવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement