For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં કેરળ, તામિલનાડુ સરકાર સામે રાજ્યપાલોનું શાબ્દિક યુધ્ધ ચાલુ

05:09 PM Dec 15, 2023 IST | Sejal barot
સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં કેરળ  તામિલનાડુ સરકાર સામે રાજ્યપાલોનું શાબ્દિક યુધ્ધ ચાલુ

સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ અને સૂચનાઓ છતાં, તમિલનાડુ અને કેરળમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચેના સંબંધો વણસેલા છે. કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ હવે જાહેર મંચ પર પણ એકબીજા સામે શબ્દયુદ્ધ શરૂૂ કરી દીધું છે. એ કઠોરતામાં ભાષાની મર્યાદા ઓળંગવાનો પ્રયાસ પણ જોવા મળે છે.
રાજ્યપાલ એ વાતથી દુ:ખી છે કે કેરળ સરકાર યુનિવર્સિટીઓના સેનેટ સભ્યોના નોમિનેશનમાં તેમની અવગણના કરી રહી છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે તેઓ આવા નોમિનેશન રદ કરશે. બીજી તરફ, મુખ્યમંત્રીએ તેમને ‘તકવાદી’ પણ કહ્યા. બીજી તરફ તામિલનાડુના રાજ્યપાલ સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવાને બદલે પેન્ડિંગ રાખી રહ્યા છે.
ફરી એકવાર સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલે સામસામે બેસીને પોતાના મતભેદો ઉકેલવા જોઈએ. જો કે કોર્ટે અગાઉ પણ આ વાત કહી છે. પંજાબ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની શક્તિઓને સમજાવતા ત્યાં સુધી કહ્યું હતું કે તેને તમામ રાજ્યપાલોએ સમજવાની જરૂૂર છે. પરંતુ તમિલનાડુના રાજ્યપાલ પોતાના સ્ટેન્ડ પર અડગ રહ્યા. હાલમાં, તામિલનાડુ કેસની સુનાવણી આવતા મહિના સુધી સ્થગિત કરવામાં આવી છે, પરંતુ આ કેસમાં નિર્ણય સ્પષ્ટપણે પંજાબ કેસ જેવો જ આવશે.
વાસ્તવમાં, કેરળ અને તમિલનાડુના રાજ્યપાલો એ વાતથી દુ:ખી છે કે આ બંને રાજ્યોની સરકારોએ વિધાનસભામાં બિલ પસાર કરીને રાજ્યપાલને યુનિવર્સિટીઓના ચાન્સેલર પદેથી હટાવી દીધા. જો કે, આ બે રાજ્યો સિવાય, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને પંજાબની સરકારોએ પણ સમાન અસર માટે એક બિલ પસાર કર્યું હતું.
વાસ્તવમાં, આ ઝઘડો એટલા માટે શરૂૂ થયો કારણ કે રાજ્યપાલોએ રાજ્ય સરકારો દ્વારા પ્રસ્તાવિત વાઈસ ચાન્સેલરોના નામો પર વાંધો ઉઠાવવાનું શરૂૂ કર્યું અને યુનિવર્સિટીઓની સેનેટમાં દખલગીરી કરી.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં આ અંગેનો વિવાદ બંધ થયો, પરંતુ તમિલનાડુ અને કેરળમાં તે ચાલુ છે. આ જ બહાને રાજ્યપાલ જાહેર હિત સાથે સંબંધિત અન્ય બિલોને પણ અટકાવી દે છે. તમિલનાડુ કેસની સુનાવણી દરમિયાન સરકારના વકીલે એમ પણ કહ્યું હતું કે આ વિવાદ આપણી વચ્ચે બેસીને ઉકેલી શકાય તેમ નથી, તેને કોર્ટના આદેશથી જ ઉકેલી શકાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement