For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોનાના નવા વેરિયન્ટ સામે હાલની રસી અસરકારક

11:17 AM Dec 22, 2023 IST | Sejal barot
કોરોનાના નવા વેરિયન્ટ સામે હાલની રસી અસરકારક

દેશમાં કોવિડના સબ-વેરિઅન્ટ JN.1ના 26 કેસ નોંધાયા છે. દરમિયાન, ગુરુવારે આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી માહિતી પ્રકાશમાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે હાલમાં સરકાર પાસે એરપોર્ટ પર લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવવાની કોઈ યોજના નથી. તે જ સમયે, JN.1ના 21 કેસ નોંધાયા હતા. તેમાંથી 19 ગોવાના હતા. સુત્રોના જણાવ્યા મુજબ દેશના 11 રાજ્યોમાં આ સ્વરૂપ ફેલાઈ ચુક્યું છે. ઈંગ્લેન્ડમાં દર 24માંથી 1 કોરોના પોઝીટીવ છે.
કોરોનાનો નવો સબ-વેરિઅન્ટ JN.1 વિશ્વના 40 દેશોમાં ફેલાઈ ગયો છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે બુધવારે કહ્યું કે ભારતમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોનાને કારણે 16 લોકોના મોત થયા છે. જો કે, આમાંના મોટાભાગના લોકો ડાયાબિટીસ અને હૃદયની સમસ્યા જેવા અન્ય રોગોથી પણ પીડિત હતા.
કેન્દ્રના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાના લગભગ 2669 સક્રિય કેસ છે. તેમાંથી 91-92% લોકો ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે. નવા વેરિઅન્ટવાળા દર્દીઓમાં વાયરસના લક્ષણો એકદમ હળવા હોય છે. જો કે, તેમાં ગભરાવાનું કંઈ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ઉંગ.1ને વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ તરીકે સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું કે અત્યાર સુધીનું વિશ્ર્લેષણ કહે છે કે હાલની રસી JN-1 વેરિઅન્ટ પર સંપૂર્ણપણે અસરકારક છે. આનાથી લોકોને બહુ જોખમ નથી. જોકે, WHOએ સાવચેતીના ભાગરૂૂપે એક એડવાઈઝરી જારી કરી છે. આમાં લોકોને ભીડ, બંધ અથવા પ્રદૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે તમામ જિલ્લાઓએ કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ લેબમાં મોકલો. મોક ડ્રીલ હાથ ધરીને સમયાંતરે તૈયારીઓનું ફોલોઅપ લો. કર્ણાટકના પડોશી રાજ્યો કેરળ અને તમિલનાડુમાં કોવિડ-19 JN.1 ના નવા વેરિઅન્ટના કેસોમાં વધારાને કારણે ત્યાં પણ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. 60 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધો, કિડની, હૃદય, લીવર જેવા રોગોથી પીડિત લોકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓને બહાર જતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રની સૂચનાઓ મુજબ, હવે બહુ ગભરાવાની જરૂૂર નથી અથવા નિયંત્રણો લાદીને સરહદ (કેરળ, તમિલનાડુ રાજ્યો) પર દેખરેખ વધારવાની જરૂૂર નથી. જો કે, કેરળ અને તમિલનાડુને અડીને આવેલા તમામ સરહદી જિલ્લાઓએ સતર્ક રહેવું જોઈએ. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકોને ખાસ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement