તેલંગાણામાં એરફોર્સનું ટ્રેઇની વિમાન ક્રેશ: બે પાઈલટનાં મોત
તેલંગાણામાં આજે એક મોટો અકસ્માત થયો હતો. તેલંગાણામાં એરફોર્સનું ટ્રેઇની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટના સ્થળેથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું. તેલંગાણામાં એરફોર્સનું ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું છે. જેમાં બે પાયલટના મોત થયા છે. આ અકસ્માત સવારે 8.55 કલાકે થયો હતો. ભારતીય વાયુસેનાએ અકસ્માતની માહિતી આપી છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે પીસી 7 એમકે ઈંઈં વિમાન આજે સવારે નિયમિત તાલીમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં બે પાયલોટ હતા. બંનેને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ અને પછી તેઓ મૃત્યુ પામ્યા. જો કે, કોઈ નાગરિકનું જાનહાનિ થઈ નથી. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે આ પરીક્ષણ સવારે લગભગ 8.55 વાગ્યે કરવામાં આવ્યું હતું. એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ડિંડીગુલમાં આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા આ અકસ્માત તેલંગાણાના મેડક જિલ્લામાં થયો હતો.