7.4 કરોડ રિટર્ન ભરાયા, પણ કરદાતા 2.50 કરોડથી પણ ઓછા
નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં 7.40 કરોડથી વધુ લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા, જેમાંથી 5.16 કરોડ લોકોએ શૂન્ય કર જવાબદારી દર્શાવી હતી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રિટર્ન ફાઈલ કરવાની સંખ્યામાં વધારો થયો છે.
ITR ફાઇલ કરનારાઓની સંખ્યા નાણાકીય વર્ષ 2018-19માં 6.28 કરોડથી વધીને 2019-20માં 6.47 કરોડ અને 2020-21માં 6.72 કરોડ થઈ ગઈ છે.
નાણાકીય વર્ષ 2021-22માં ITR ફાઈલ કરનારાઓની સંખ્યા વધીને 6.94 કરોડથી વધુ અને નાણાકીય વર્ષ 2022-23માં 7.40 કરોડથી વધુ થઈ ગઈ છે.
છેલ્લા ચાર વર્ષ દરમિયાન, શૂન્ય કર જવાબદારી ધરાવતા વ્યક્તિઓની સંખ્યા નાણાકીય વર્ષ 2019-20માં 2.90 કરોડથી વધીને 2022-23માં 5.16 કરોડ થઈ છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ કર સંગ્રહ અને આવકવેરા રિટર્ન ફાઇલિંગની સંખ્યામાં પ્રમાણસર વધારો ન પણ હોઈ શકે કારણ કે પ્રત્યક્ષ કર સંગ્રહ ઘણા પરિબળો પર આધારિત છે.
આમાં સંબંધિત મૂલ્યાંકન વર્ષ માટે લાગુ પડતો કર દર, કાયદા હેઠળ માન્ય કપાત/મુક્તિ, અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં એકંદર આર્થિક વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પ્રત્યક્ષ કર કલેક્શન 2018-17માં આશરે રૂ. 11.38 લાખ કરોડથી વધીને 2022-23માં રૂ. 16.63 લાખ કરોડથી વધુ થયું છે.
વ્યક્તિગત આવકવેરા કલેક્શન 6.73 લાખ કરોડ
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20.66 ટકા વધીને રૂૂ. 13.70 લાખ કરોડથી વધુ થયું છે. 17 ડિસેમ્બર, 2023 સુધીમાં રૂૂ. 13,70,388 કરોડના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાંથી કોર્પોરેટ ટેક્સ પાસેથી રૂ. 6.95 લાખ કરોડ પ્રાપ્ત થયા હતા. વ્યક્તિગત આવકવેરાનો હિસ્સો રૂૂ. 6.73 લાખ કરોડ હતો.આમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બજેટ અંદાજના 75 ટકા સુધી પહોંચી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરમાંથી રૂૂ. 18.23 લાખ કરોડ એકત્ર થવાની ધારણા છે.આમાં વ્યક્તિગત આવકવેરો અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં 17 ડિસેમ્બર 2023 સુધી 2.25 લાખ કરોડ રૂૂપિયાથી વધુના ‘રિફંડ’ પણ જારી કરવામાં આવ્યા છે.