For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

15 જ્વાનોની શહીદીનો બદલો લીધો: મહારાષ્ટ્રમાં કુખ્યાત નક્સલી ઠાર 2019માં બ્લાસ્ટ કરનારો દુર્ગેશ એન્કાઉન્ટરમાં મર્યો

11:22 AM Dec 15, 2023 IST | Sejal barot
15 જ્વાનોની શહીદીનો બદલો લીધો  મહારાષ્ટ્રમાં કુખ્યાત નક્સલી ઠાર  2019માં બ્લાસ્ટ કરનારો દુર્ગેશ એન્કાઉન્ટરમાં મર્યો

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુરુવારે છત્તીસગઢ બોર્ડર પર બોધિન ટોલા પાસે, પોલીસના ઈ60 કમાન્ડોએ કુખ્યાત નક્સલવાદીને ઠાર માર્યો જેણે દુર્ગેશે 2019ના બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિસ્ફોટમાં 15 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં C60 કમાન્ડોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતા.
માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એકનું નામ દુર્ગેશ વટ્ટી છે જે ડેપ્યુટી કમાન્ડર હતો જ્યારે બીજો તેનો સાથી હતો.
વાસ્તવમાં, ગઢચિરોલીના એસપીને માહિતી મળી હતી કે દુર્ગેશ જે કુખ્યાત નક્સલવાદી છે. જે વ્યક્તિએ 2019માં વિસ્ફોટ કર્યો હતો અને મહારાષ્ટ્ર પોલીસના 15 જવાનોને શહીદ કર્યા હતા, તે જ વ્યક્તિ છત્તીસગઢ બોર્ડર પર બોધિંટોલાથી દસ કિલોમીટર આગળ તેના સાથીઓના એક મોટા જૂથ સાથે એકઠા થયા હતા. જ્યાં તે એક મોટું ષડયંત્ર અને હુમલાની યોજના બનાવી રહ્યા હતા. તેમની પાસે ઘણા ભારે અને આધુનિક હથિયારો પણ છે.
જે બાદ એસપીના નિર્દેશ પર સી-60 કમાન્ડોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. પોલીસના આગમનનો હવાલો મળતા જ નક્સલીઓએ ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું. પોલીસે પહેલા તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ ફાયરિંગ બંધ ન થયું. આ પછી પોલીસની જવાબી કાર્યવાહીમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. નક્સલવાદીઓ પાસેથી એક અઊં-47 સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યો હતો.બે નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
દુર્ગેશ કુખ્યાત નક્સલવાદી હતો, તેની સામે ડઝનબંધ કેસ નોંધાયેલા હતા, પરંતુ વર્ષ 2019માં તેણે આવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો. તેણે કુકર બોમ્બથી પેટ્રોલિંગ માટે નીકળેલી પોલીસ વાનને બ્લાસ્ટ કરી હતી, જેમાં 15 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement