For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીનાથજી સોસાયટીમાં જનેતાના વિરહમાં પુત્રીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

04:50 PM Jul 13, 2024 IST | Bhumika
શ્રીનાથજી સોસાયટીમાં જનેતાના વિરહમાં પુત્રીએ ઝેરી દવા પી કર્યો આપઘાત
Advertisement

ઝેર પીધાની તબીબને વાત નહીં કરી પ્રાથમિક સારવાર બાદ ઘરે જતા તબિયત લથડતા દવા પીધાની પરિવારને જાણ કરી પણ જીવ ન બચ્યો

રૈયાધાર વિસ્તારમાં આવેલા છોટુનગરમાં રહેતા આધેડે નોકરી બદલ્યા બાદ કામ નહીં ફાવતા લીમડા ચોક પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા છોટુનગરમાં રહેતા મનીષભાઈ પ્રાણલાલભાઈ દવે નામના 54 વર્ષના આધેડ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં લીમડા ચોક પાસે હતા. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મનીષભાઈ દવે માર્કેટિંગનું કામ કરે છે અને અગાઉ આઠ વર્ષ એક જ જગ્યાએ નોકરી કરી હતી. બાદ તેઓ નોકરી છોડી બીજી જગ્યાએ નોકરી ઉપર લાગ્યા હતા. જ્યાં તેમને કામ નહીં ફાવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતા કૌશલ નીતિનભાઈ મકવાણા નામનો 20 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે અજય, દિનેશ અને સુનિલ નામના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement