For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીમાં નવોઢાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

12:03 PM Mar 08, 2024 IST | Bhumika
પડધરીમાં નવોઢાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
  • આપઘાતનું કારણ અકબંધ: ત્રણ માસ પૂર્વે જ પ્રભુતામાં પગલાં પાડનાર પરિણીતાનું મોતનું કારણ જાણવા તપાસ જારી

પડધરીમાં આવેલા ગીતાનગરમાં ત્રણ માસ પૂર્વે જ પ્રભુતામાં પગલા પાડનાર નવોઢાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં આવેલા ગીતાનગરમાં રહેતી કોમલબેન કેતનભાઇ સોલંકી નામની 20 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક કોમલબેન સોલંકી જોડીયાના તારણા ગામે માવતર ધરાવે છે અને કોમલબેન સોલંકીના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા કોમલબેન એક ભાઈ ત્રણ બહેનમાં મોટી હતી અને તેના પતિ કેતનભાઇ સોલંકી શાકભાજીનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી નવોઢાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement