લક્ષ્મીવાડીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીના પત્નીનો ઝેરી દવા પી લઇ આપઘાત
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી: કારણ અંગે પરિવારજનો અજાણ
શહેરના લક્ષ્મીવાડીમાં રહેતા મોન્ટુરાજા ટ્રાવેલ્સના ધંધાર્થીની પત્નીએ બે દિવસ પહેલા ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમનું સારવારમાં મોત નિપજયું હતું. પરિણીતાના આપઘાતથી ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
બનાવની વધુ વિગતો અનુસાર લક્ષ્મીવાડીમાં શેરી નં.7/16માં રહેતા પ્રિયાબા સંજયસિંહ ઝાલા (ઉ.વ.28)એ તા.7ના રોજ સાંજના સમયે પોતાના ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાઇ હતી ત્યાં ફરજ પરના ડો.મિલાપ મશરૂએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા.
પ્રિયાબાના પતિ મોન્ટુ રાજા નામે ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેમના લગ્નને આઠ વર્ષ થયા છે. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પ્રિયાબાના આપઘાતનું કારણ જાણવા ભક્તિનગર પોલીસનાં હેડકોન્સ્ટેબલ પ્રશાંતસિંહ સહીતનાં સ્ટાફે તપાસ શરૂ કરી છે.