For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના વીરનગરમાં પતિ કામ પરથી મોડો આવતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

01:11 PM Jun 26, 2024 IST | admin
જસદણના વીરનગરમાં પતિ કામ પરથી મોડો આવતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
Advertisement

રાજકોટમાં રિસામણે બેઠેલી પત્નીએ ખાધા ખોરાકીનો કેસ કરતા યુવાને સસરાના ઘર પાસે ફિનાઇલ પીધું

જસદણના વીરનગરમાં પતિ કામ પરથી મોડો આવતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્નીને માઠું લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના વીરનગર ગામે રામજીભાઈ ચૌહાણની વાડીએ ખેત મજૂરી અર્થે આવેલી પિન્કીબેન પવનભાઈ અવાસીયા નામની 30 વર્ષની પરિણીતા વાડીએ હતી ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર પિન્કીબેન મૂળ મધ્યપ્રદેશની વતની છે અને તેણીને સંતાનમાં બે પુત્રી છે પતિ કામ પરથી મોડો આવતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો જે ઝઘડાથી માઠુ લાગી આવતા પિન્કીબેને ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે રહેતા મોહિત મનસુખભાઈ પરમાર નામનો 24 વર્ષનો યુવાન રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં હતો ત્યારે સસારાના ઘર પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં મોહિત પરમારની પત્ની હાલ રાજકોટમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતા પિતાના ઘરે રિસામણે બેઠી છે અને પત્નીએ ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો છે તેમ છતાં મોહિત પરમાર રાજકોટ સસરાના ઘરે આવી તું ઘેર આવતી રહે તેમ કહી ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement