ભાવનગરમાં માતા-પિતાએ ઠપકો આપતા પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત
02:06 PM Jun 29, 2024 IST | admin
Advertisement
કુંભારવાડાના વૃદ્ધે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લીધું
ભાવનગર શહેરમાં ગળાફાંસો ખાઇ ને આપઘાત વહોળી લેવાના બે બનાવોમાં એક સગીરા અને એક વૃદ્ધ ના કમોત થયેલ છે.
Advertisement
આપઘાતના પ્રથમ બનાવવામાં ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ઇશ્વરભાઇ ચૌહાણ ની પુત્રી માયા ઉં.વ. 14 એ તેના તેણી ના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. માતા- પિતાએ કોઈ બાબતે ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.જ્યારે બીજા બનાવમાં ભાવનગર શહેરના કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં રહેતા મનજીભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ. 63) એ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી .આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisement