For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારા વગર જીવનમાં મને જરાય રસ નથી, જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિનો આપઘાત

12:39 PM Jun 17, 2024 IST | Bhumika
તારા વગર જીવનમાં મને જરાય રસ નથી  જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિનો આપઘાત
Advertisement

રિસામણે ગયેલી પત્નીને સાસુ-સસરા અને સાળીએ કોલકત્તા ડાન્સ બારમાં મોકલી દીધાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા સોપારીના વેપારીએ પત્નીના વિયોગમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. મૃતકના કબજામાંથી એક સુસાઈડ નોટ મળી આવતા પોલીસે તે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર સિધ્ધનાથ મંદિર પાસે શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા સોપારીના વેપારીએ આત્મહત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગૌરવ પરશોતમ ભૂત નામના ઉ.38 યુવકે અચાનક તેના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતક યુવક પાસેથી સુસાઈડ નોટ પણ કબજે કરવામાં આવી છે. જેમાં મૃતક ગૌરવ ભૂતે તેની પત્ની રીસામણે ચાલી જતા સાસુ-સસરા અને સાળીઓ દ્વારા તેને કોલકત્તા ડાન્સબારમાં મોકલી દીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વયોવૃધ્ધ માતા સાથે રહેતા મૃતક ગૌરવે માણાવદરના રાજેશ વિઠલભાઈ રામાનંદીની દીકરી નેન્સી સાથે લગ્ન થયા હતા,ગૌરવના આ ત્રીજા લગ્ન હતા અને ગૌરવને આગલા ઘરના એક દીકરો ધનુષ અને એક દીકરી છે. આ ગૌરવ તેના પરિવાર સાથે હસીખુશી રહેતો હતો. પરંતુ 31/5/2024 થી પત્ની નેન્સી ક્યાંય ચાલી ગઈ હતી અને પતિ દ્વારા તેના સસરાને ફોન કરતા તે ક્યાં છે તે તેને જણાવ્યું ન હતું. જેને લઇ મૃતક ગૌરવને લાગી આવતા આજે તેને ગળે પાછો ખાય આત્મહત્યા કરી હતી.

મૃતક ગૌરવના ઘરનો અંદરથી બંધ જોતા તેમના પરિવાર દ્વારા બહારથી જોયું તો ગૌરવ પંખે લટકતી હાલતમાં જોવા મળ્યું હતો.જે ઘટનાની જાણ કરતા બી ડિવીઝન સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે દરવાજો ખોલીને ગૌરવના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, તપાસમાં પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ બી ડિવિઝન પોલીસે અ. મોત દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement