For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

12:08 PM Jun 11, 2024 IST | Bhumika
હળવદમાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
Advertisement

દંપતી વચ્ચે ઘર કંકાસના ડખ્ખાનો કરૂણ અંજામ : હત્યારા પતિએ ઝેરી દવા પીધી

Advertisement

હળવદમાં દંપતિ વચ્ચે ઘર કંકાસના ડખ્ખાનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતાં સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ નજીક મંદિરના પટાંગણમાં પતીએ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું.

હળવદનાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા મદીનાબેન યુસુફભાઈ સંધી (ઉ.35)ને તેના પતિ યુનુસ સંધી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા મદીનાના પતિ યુનુસ સંધીએ પત્ની મદીનાબેન ઉપર હુમલો કરતાં તેનું મોત થયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. દંપતિ વચ્ચે ઘર કંકાશના કારણે અવારનવાર થતાં ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો.

આ મામલે હળવદ પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઈ સહિતનો સ્ટાફ હળવદનાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જ્યાં બનાવ બન્યો હતો તે મકાન ખાતે દોડી ગયો હતો. પોલીસે મદીનાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો અને આ મામલે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મદીનાબેનની હત્યા કરનાર તેનો પતિ યુનુસ સંધી હાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે. આ મામલે મૃતક મદીનાબેનના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ પણ પુત્રીના ઘરે દોડી આવ્યા હતાં. જમાઈએ પુત્રીની હત્યા કર્યાના બનાવથી પરિવાર પણ શોકમગ્ન બની ગયા હતા. આ ઘટના બાદ મદીનાની હત્યા કરનાર પતી યુનુશનો મૃતદેહ પણ નજીકથી મળી આવ્યો હતો તેણે હત્યા બાદ ઝેરી દવા પી આપઘાત કર્યાનું ખુલ્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement