For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાંથી પુરુષનું માનવકંકાલ મળી આવ્યું

11:49 AM Jun 12, 2024 IST | admin
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાંથી પુરુષનું માનવકંકાલ મળી આવ્યું
Advertisement

પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડાયું, બનાવ કુદરતી કે હત્યા?: તપાસ શરૂ કરાઇ

સુરેન્દ્રનગર શહેરમાં વહેતી ભોગાવો નદીમાંથી આજે કોહવાયેલું માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને કંકાલને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ વિગતો મુજબ,શહેરની ભોગાવો નદીમાં કોઇ પુરૂૂષનો કંકાલ પડેલો જોવા મળતા લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી અને બાદમાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ કંકાલને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.હાલ પોલીસે આ વ્યક્તિ કોણ છે?કોઈએ મારી નાખી મૃતદેહનો નિકાલ કરેલ છે કે કોઈ અકસ્માત મોત છે?આ અંગે હવે આજુબાજુના વિસ્તારોમાં ગૂમ વ્યક્તિની યાદી માંગી તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement