For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી કેબ ખાડામાં પડતા 10 લોકોના મોત

10:33 AM Mar 29, 2024 IST | Bhumika
જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત  મુસાફરોથી ભરેલી કેબ ખાડામાં પડતા 10 લોકોના મોત

Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં આજે(29 માર્ચ) એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. રામબન નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક કેબ ખાડામાં પડી ગઈ, જેના કારણે તેમાં સવાર 10 લોકોના મોત થયા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કેબ મુસાફરોને લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

આ અકસ્માત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે થયો હતો. મુસાફરોને લઈ જઈ રહેલી કેબ ઉંડી ખાઈમાં પડી હતી. સ્થાનિક વહીવટીતંત્રને ઘટનાની માહિતી મળતાની સાથે જ રામબનથી પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને સિવિલ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ તરત જ ખાડામાં ઉતરી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

Advertisement

વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે આ વિસ્તારમાં ઊંડી ખાઈ, અંધકાર અને સતત વરસાદને કારણે બચાવ કામગીરી પડકારરૂપ બની રહી છે. વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે રાહત કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી મોટી સમસ્યા વરસાદની છે, જેના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના આજે વહેલી સવારે બની હતી, કારણ કે તેમને લગભગ 1.15 વાગ્યે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તવેરા કાર સાથેની કેબ મુસાફરો સાથે કાશ્મીર જઈ રહી હતી, પરંતુ રસ્તામાં અચાનક આ ઘટના બની. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર કેબ 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. અત્યાર સુધી બહાર કાઢવામાં આવેલા મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનોને જાણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement