વ્યાજ ભરવામાં મોડુ થતા પુનિત નગરમાં યુવાન ઉપર છરી વડે હીચકારો હુમલો
12:42 PM May 08, 2024 IST | Bhumika
Advertisement
જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર પૈસાની લેતી લેતી ના મામલે છરી વડે હુમલો કરાતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને પોલીસ તંત્ર દોડતું થયું છે.
જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાન પર મોડી સાંજે છરી વડે હુમલો કરાયો હતો. વ્યાજ ભરવામાં મોડું થતાં તેના પર છરી વડે હુમલો થયાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
પોલીસ ટુકડી બનાવના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ છે, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આ બનાવને લઈને પુનિત નગર વિસ્તારમાં દોડધામ થઈ હતી. છળેચોક ભર બજારમાં હુમલાની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા
Advertisement