રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

12:16 PM Jul 01, 2024 IST | admin
Advertisement

રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટએટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સરધારમાં અધેડ અને રાજકોટમાં વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજતા બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક ભાવનગર હાઈવે ઉપર આવેલા સરધારમાં રહેતા પ્રવીણભાઈ ડાયાભાઈ વઘાસિયા નામના 57 વર્ષના આધેડ સવારના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પ્રવીણભાઈ વઘાસિયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

જયારે બીજા બનાવમા રાજકોટમાં કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર પાછળ આવેલ રવિરતના પાર્કમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈ સાવલિયા નામના 90 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક વર્ષમાં મૃતક મનસુખભાઈ સાવલિયાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attactrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement