For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટઅટેક: રાજકોટમાં વધુ 4 જિંદગી ધબકારા ચૂકી ગઇ

05:52 PM Jun 14, 2024 IST | Bhumika
હાર્ટઅટેક  રાજકોટમાં વધુ 4 જિંદગી ધબકારા ચૂકી ગઇ
Advertisement

કારખાનમાં કામ કરતા યુવાન, અઠવાડિયા પૂર્વે પ્લેન બેસડયા બાદ આધેડ, વૃદ્ધકાશ્રમના વૃદ્ધ અને પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

Advertisement

રાજ્યભરમાં કાળજા ગરમી પડી રહી છે ત્યારે હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટ પંથકમાં વધુ ચાર વ્યક્તિના હાર્ટ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મેટોડામાં કારખાનામાં કામ કરતા યુવક, શાપરમાં અઠવાડિયા પૂર્વે પ્લેન બેસાડ્યા બાદ આધેડ, સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધ અને અર્ચના પાર્કના યુવકને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ અમરેલીના વડીયાનો વતની અને છેલ્લા દોઢ માસથી મેટોડા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હર્ષિત પ્રભુદાસભાઈ ઉમરાણીયા નામનો 20 વર્ષનો યુવાન કંપનીમાં નોકરી ઉપર હતો ત્યારે તેને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દર્શિત ઉમરાણીયા તેના માતા-પિતાને આધાર સ્થંભ એકલોતો પુત્ર હતો અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં શાપર વેરાવળમાં રહેતા જેન્તીભાઈ નાથાભાઈ ચૌહાણ નામના 55 વર્ષના આધેડને અચાનક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેન્તીભાઈ ચૌહાણને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે જયંતીભાઈ ચૌહાણને આઠ દિવસ પહેલા જ પ્લેન બેસાડવામાં આવ્યું હતું.

ત્રીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા મહેસાણા પંથકના ગૌતમકુમાર નારાયણભાઈ સુથાર નામના 53 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક પૂછપરછ ગૌતમકુમાર સુથાર બે બહેનોના એકના એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ચોથા બનાવમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા અર્ચના પાર્કમાં રહેતા હિરેન્દ્ર પ્રવીણભાઈ જગડ નામનો 43 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement