ગુરુદ્વારા ચોકડીથી જી.જી. હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરી દેવાતા વાહનચાલકો પરેશાન
12:12 PM May 15, 2024 IST | Bhumika
Advertisement
જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી થી જી.જી. હોસ્પિટલ તરફ જવાના માર્ગે ભૂગર્ભ ગટર અને રોડનું કામ ચાલી રહ્યું હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત રસ્તો વાહનોની અવરજવર માટે હંગામી ધોરણે બંધ કરી દેવાયો હતો. જામ્યુકો ના વર્તુળ દ્વારા અગાઉની જાણકારી વિના ઉપરોક્ત માર્ગ બંધ કરી દેવાયો હોવાથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. જોકે મંગલ બાગ તેમજ સેન્ટર પોઇન્ટ બિલ્ડીંગ પાછળની શેરી માંથી બંને તરફથી રસ્તો કરી દેવાયો હતો અને થોડા કલાકો બાદ કામગીરી પૂર્ણ કરી લેવાશે તેવો પ્રત્યુતર અપાયો હતો.
ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મંગલબાગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતનું કામ ચાલી રહ્યું હોવાથી આ માર્ગને હંગામી ધોરણે બંધ કરાયો છે, અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
Advertisement
Advertisement