ગંગોત્રી નજીક ગુજરાતી યાત્રિકોના વાહનને નડેલો અકસ્માત, 8ને ઇજા
ઉત્તરાખંડમાં હાલ ચાલી રહેલી ચારધામ યાત્રા દરમિયાન ગંગોત્રીના માર્ગે ગુજરાતના યાત્રાળુઓની એક બસ પલટી ખાઈ જતાં આઠ યાત્રાળુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે માર્ગ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા હતા.
અમદાવાદ શહેરમાંથી 18 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ગંગોત્રી ધામમાં આવ્યા હતા. અહીં સોનગઢ નજીક તેમના વાહનની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડ પર પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 18 લોકોમાંથી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને આ અકસ્માતની જાણ કરી હતી. જે બાદ પોલીસ અને SDRFઉત્તરાખંડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને કોઈ પણ સમય બગાડ્યા વિના તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. તેમજ SDRFદ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રાવેલરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં મળી આવેલ કિંમતી અને જરૂૂરી ચીજવસ્તુઓ જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી.
વાહનમાં મુસાફરી કરતા યાત્રાળુઓમાં વિશાલ પારડિયા (16), વૈષ્ણવી પારડિયા (20), ધ્રુતિ પારડિયા (13), વિશાલ કુમાર વ્યાસ (39), નેહાબેન વ્યાસ (37), નમય કુમાર વ્યાસ (10), ઉષાબેન રાવલ (62), ગીતાબેન વ્યાસ (59), અનિલબેન આચાર્ય (52), મનોજ કુમાર આચાર્ય (52), અનિલ વ્યાસ (64), દક્ષ વ્યાસ (55), મીતા જોષી (59), દીપક કુમાર જોશી (58), અવની જોષી (54), વશિષ્ઠ જોષી (23), કમલેશ દેવ (64), અરુણાબેન દેવ (61)નો સમાવેશ થાય છે.