રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકનું મોત : વાલી વારસની શોધખોળ

12:07 PM Mar 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097184
Advertisement

પડધરીના મોટા ખીજડિયામાં યુવાને ઝેરી દવા પી લેતા તબિયત લથડી

Advertisement

વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ઇજાગ્રસ્ત હાલતમા મળી આવેલા અજાણ્યા યુવકે રાજકોટ સારવારમા દમ તોડયો છે. પોલીસે મૃતક અજાણ્યા યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન પર રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા આશરે 30 વર્ષીય અજાણ્યો યુવક ઇજાગ્રસ્ત હાલતમા મળી આવ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો જયા યુવકનુ મોત નીપજતા પોલીસે મૃતક યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમા પડધરીનાં મોટા ખીજડીયા ગામે શેરુબહાદુર મોહનીયા (ઉ.વ. રર) એ રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

-

 

 

 

Tags :
gujaratgujarat newsWankanerWankaner newsWankaner railway station
Advertisement
Advertisement