For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

05:47 PM Oct 09, 2024 IST | Bhumika
લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત
Advertisement

રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ શીતલપાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે બનાવનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. પોલીસમાંથી જાણવા મળ્યું હતુ કે, મૃતકના 15 દિવસ બાદ લગ્ન નક્કી થયા હતા. લગ્ન પૂર્વે જ યુવાને આ પગલું ભરી લેતા પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોચીનગર શેરી નં.6 પોલ્ટ નં.281માં રહેતા અફઝલ અઝીમભાઇ બેલીમ (ઉ.વ.39)એ પોતાના ઘરે છતનાં હુકમાં દૂપટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અફ્ઝલ કપડાનો ધંધો કરતો હતો અને પોતે અપરિણીત હતો આ ઘટનાને લઇ પોલીસે બનાવનું કારણ જાણવા ગાંધીગ્રામ પોલીસમાં પીએસઆઇ ટી.ડી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, મૃતક અફઝલ બે ભાઇમાં નાનો હતો અને તેમના લગ્ન પંદર દિવસ બાદ નક્કી થયા હતા. યુવાનના મૃત્યુનું કારણ જાણવા પોલીસે મૃતકના પરિવારજનોન પૂછપરછ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement