ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

03:51 PM May 09, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝ સરકારી સ્કૂલની પાસે રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આહિર પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનામાં યુવાનના ફેબ્રઆરીમાં જ લગ્ન થયા હતા. આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરવામાં આવી છે.બનાવની વધુ વિગતો અનુસાર, કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝમાં રહેતા અર્જુન હરેશભાઇ ડવ (આહીર) (ઉ.વ.22)નામના યુવાને પોતાના ઘરે ગઇકાલે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહે કર્યા હતા.

આ મામલે આજીડેમ પોલીસના હેડકોન્સ્ટેબલ એચ.આર.સોલંકી અને સ્ટાફે કાગળો કર્યા હતા. પોલીસમાંથી જાણવા મળ્યું હતુ કે, અર્જુન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો તેમના પિતા એસટીમાં ડ્રાવઇર છે. પોતે કારખાનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો તેમજ ફેબ્રુઆરીમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. તેમની પત્નીનું નામ દિપાલીબેન છે. આ અંગે અર્જુનના આપઘાતનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ જારી રાખી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement