શ્રમજીવી સોસાયટીમાં યુવાન ભડભડ સળગ્યો : દાઝી જતાં ગંભીર
05:54 PM Feb 12, 2024 IST | Bhumika
શહેરના દુધસાગર રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં એક માનસિક બિમાર યુવાને શરીરે કેરોસીન છાંટી ભડભડ સળગતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં દુધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, શેરી નં.3માં રહેતા સાહિલ રઉફ કામદાર (ઉ.વ.35)એ આજે સવારે 6 વાગ્યે પોતાના ઘરે, શરીરે કેરોસિન છાંટી, ભડભડ સળગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો.
દરમિયાન તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
Advertisement
હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફની જાણ પરથી થોરાળા પોલીસે હોસ્પિટલે દોડી આવી બનાવને જાણ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે, સાહિલ ઘણા વર્ષોથી માનસિક બિમારી ધરાવે છે. કુંવારો છે, 4 ભાઇમાં બીજા નંબરનો ભાઇ છે. અને માનસિક બિમારીથી કંટાળી આવુ પગલું ભરી લીધુ હતું. બનાવની વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે.
Advertisement
Advertisement