યા હોમ કરો..... ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થન
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઇ રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા અમિત ચાવડા સહિતના નેતાઓએ પહેલગામના દિવંગતોને દેશની શ્રદ્ધાંજલિ ગણાવી
ગુજરાત મિરર, રાજકોટ તા.7
ભારતીય સેનાની પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકને લઇને ગુજરાતના રાજકીય જગતમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.. પક્ષાપક્ષીને ભૂલીને આતંકવાદ સામે સૌ કોઇ એક થઇ ગયા છે અને સૈન્ય દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને અવકારી સૈન્ય પર અભિનંદન વર્ષા કરી રહ્યા છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટેના કોઇપણ પગલામાં ગુજરાતમાં સરકારની સાથે રહીને કામ કરીશું. ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકને લઇને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું નિર્દોષ નાગરીકોનો ભોગ લેનાર સામે કાર્યવાહી થઇ છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે.
એર સ્ટ્રાઈકને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.. જેમાં તેમણે કહ્યું કે આજે ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે, તેમણે કહ્યું કે આ બતાવે છે કે દેશ માટે કંઇપણ કરી શકવાનો નિર્ણય વડાપ્રધાન લઇ શકે છે એરસ્ટ્રાઈકને લઈને સાંસદ ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે, ગેનીબેને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે , તેમણે કહ્યું કે સેનાએ બતાવી આપ્યું કે દેશ સ્વનિર્ભર અને સક્ષમ છે.
ઓપરેશન સિંદૂરને લઈને ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને સારી વાત એ છે કે સૈન્યએ આ વાતની કાળજી રાખી છે કે કોઇ નિર્દોષ નાગરિકોનું એરસ્ટ્રાઇકમાં મોત ન થાય, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને સરકાર જે સૂચના આપે તેનું પાલન કરવું જોઇએ
શહેર કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ સમગ્ર વિશ્વ એ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી જરૂૂરી છે. ઘણા સમયથી ભારતમાં આતંકવાદ ફુલ્યો ફાલ્યો છે ત્યારે તાજેતરમાં પહેલગામનો આતંકવાદી હુમલાબાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી અને સેનાના ઓપરેશન સિંદૂરને અભિનંદન સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આવકારે છે. પાડોશી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતના યુવાનો અને ભારતીય સેના તત્પર હતી ત્યારે ગઈકાલે સવારે 1-28 મિનિટે 64 સેક્ધડનો ઓપરેશન સિંદૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેને અભિનંદન સાથે આવકારીએ છીએ.
રાજુભાઇ ધ્રુવ
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે. ઓપરેશન સિંદૂર અધર્મ વિરુદ્ધ ધર્મયુદ્ધનું પ્રતીક છે. હિન્દૂ પરંપરામાં સિંદૂર કેવળ વૈવાહિક પ્રતિકજ નથી પરંતુ પવિત્ર, ઉર્જા શક્તિનું પ્રતીક છે એટલેજ હનુમાનજી મહારાજ પણ ધારણ કરે છે.એ દ્રષ્ટિએ ઓપરેશન સિંદૂર ધર્મ અને સ્વાભિમાનની રક્ષા માટે આધ્યાત્મિક સંઘર્ષના રૂૂપમાં મા દુર્ગાના નિર્દોષ નાગરિકોને રંજાડતા અને હત્યા કરતા રાક્ષસોના સંહાર કરવાના પુણ્યપ્રકોપની છબી -ભાવસંવેદનાઓ થી પ્રેરિત છે. આ કોઈ યુદ્ધ નથી પરંતુ આંતકનો ભોગ બનેલાઓને ન્યાય છે.
શહેર ભાજપના સુકાનીઓ ગેલમાં
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારીયાદીમાં જણાવાયું હતું કે પહલગામ હુમલા બાદ સતત દેશવાસીઓના મનમાં એક જ વાત હતી કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહલગામ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો ઉપર અંધાધુંધ ગોળીબાર કરી, ધર્મ અંગે વૈમનસ્ય ફેલાવવાનું અધમ કૃત્ય આતંકીઓ દ્વારા કરવામાં આવેલ આનો જવાબ આતંકીઓને આપવાને આ આતંકી હુમલામાં અવસાન પામેલા સ્વજનોના પરિવારોને સાંત્વના અને શ્રધ્ધાંજલી આપવા તેમજ આ આતંકી હુમલા પાછળના માસ્ટરમાઈન્ડોને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના સ્વપ્નદષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગૃહપ્રધાન અમિતભાઇ શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને ભારતીય સેના દ્વારા ગઇ રાત્રે પાકિસ્તાનના આતંકવાદ પ્રેરિત વિવિધ નવ જેટલી જગ્યા ઉપર ભારતીય એર જવાનોએ એરસ્ટ્રાઈક કરી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ એરસ્ટ્રાઈકના પગલાને આવકારતા અને વધાવતા રાજકોટ શહેર ભાજપ ગૌરવની લાગણી અનુભવે છે. ભારત સરકાર અને ભારતીય સેનાના આ વિરલ પરાક્રમને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, પ્રદેશના મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોની, રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંભહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, લીલુબેન જાદવ, મનીષ રાડિયા, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓએ હર્ષની લાગણી સાથે બિરદાવેલ છે.