દવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોત
01:03 PM Oct 14, 2025 IST | Bhumika
ધ્રોલના વાંકીયા ગામે વાડીમાં બનાવ બન્યો
Advertisement
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં રહીને ખેતી કામ કરતા મોહનભાઈ આપસિંગભાઈ ડોડવા નામના 37 વર્ષની વયના આદિવાસી શ્રમિક યુવાનને પોતાની વાડીમાં જંતુનાશક દવા નો છંટકાવ કરતી વેલા એ ઝેરી દવાની અસર થતા બેશુદ્ધ બની જવાથી તેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ઝેરી દવાની અસર થવાના કારણે તેને વીપરિત અસર થઈ હતી, અને મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મોહનભાઈ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરૂૂ કરી છે.
Advertisement
Advertisement
