ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ

05:05 PM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

દેશભરમા તેજ ગતિએ SIR પ્રક્રિયા ચાલી રહી છે, અને લોકોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જોકે, જે લોકો પોતાનુ ઘર છોડીને જતા રહયા છે તેમના માટે SIR કેવી રીતે હાથ ધરવામાં આવશે તે એક પ્રશ્ન છે. જે લોકો લવ મેરેજ માટે ઘરેથી ભાગી ગયા હોય તેમની ઘરે BLO જશે તો તેઓ શું જવાબ આપશે અને શું દસ્તાવેજ રજૂ કરશે. અત્યાર સુધીમાં કાનપુરમાં આવા ઘણા કેસો સામે આવી ચુક્યા છે.

પહેલો કેસ એક મુસ્લિમ મહિલાનો છે, જેણે પ્રેમ સંબંધને કારણે તેના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. યુવતી એક યુવાન સાથે પ્રેમમાં પડી હતી, પરંતુ તેના પરિવારે લગ્ન કરવાની મંજૂરી ન આપી. યુવતીએ તેના પરિવારની ઇચ્છાની વિરુદ્ધ કરીને તે યુવક સાથે લગ્ન કર્યા.

આનાથી રોષે ભરાયેલા પરિવારે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. પ્રેમ સંબંધ તો સફળ રહ્યો, પરંતુ હવે SIR પ્રક્રિયામાં સમસ્યા આવી રહી છે. યુવતીએ હવે તેના પિતાનું ઓળખ અને આઈડી બતાવવું પડશે, અને હવે તે તેના પરિવાર સાથે વાત પણ કરી શકતી નથી. આ કેસમાં હાલ પૂરતી તો SIR પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ (BLO) એ હવે પછી આવે ત્યારે દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે.

બીજો કિસ્સો એક યુવકનો છે જે નોકરી દરમિયાન રાજસ્થાનની એક મહિલાના પ્રેમમાં પડ્યો. છોકરાનો પરિવાર તો લગ્ન માટે માની ગયો પરંતુ છોકરીના પરિવારે લગ્નની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. છોકરી ભાગી ગઈ અને છોકરા સાથે લગ્ન કરીને કાનપુરમાં સ્થાયી થઈ ગઈ. તેણીએ તેના પરિવાર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા.
હવે, જ્યારે BLO છોકરીના સાસરિયાના ઘરે પહોંચ્યા અને તેમને SIR પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહ્યું, ત્યારે છોકરીને એક સમસ્યાનો સામનો કરવો પડ્યો. તે તેના પરિવાર સાથે વાતચીત કરી શકી નહીં, અને SIR એ 2003 ની મતદાર યાદીમાંથી પિતાનું નામ અને ID બતાવવુ જરૂૂરી છે.

જોકે, મહિલાએ પડોશીઓ સાથે વાત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.
આ બે કિસ્સાઓ એ હકીકતની સાક્ષી આપે છે કે પ્રેમ માટે ઘર છોડીને આવેલી ઘણી યુવતીઓ હવે SIR ના વમળમાં અટવાઈ ગઈ છે આગળ વધવામા અથવા ઘરે પાછા ફરવાનો રસ્તો શોધવામાં અસમર્થ છે. જે મહિલાઓ પોતાના પ્રેમીઓ સાથે પરિવાર સ્થાપવા માટે ઘર છોડીને ગઈ હતી તેઓ હવે ઓળખ અને કૌટુંબિક સહાયના અભાવે પોતાના અધિકારો માટે લડી શકતી નથી. ઘણી મહિલાઓ એટલી લાચાર છે કે તેઓ પોતાની સમસ્યાઓ કોઈની સાથે શેર પણ કરી શકતી નથી.

Tags :
gujaratgujarat newsindiaindia newSIRwomen
Advertisement
Next Article
Advertisement