ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરિણીતાનો પતિના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત

12:29 PM Jul 27, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ગણેશવાસ વિસ્તારમાં બનાવ બન્યો

Advertisement

જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાં રહેતી ગઢવી પરણીતાએ પોતાના પતિના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ જેલ પાછળ ગણેશવાસ વિસ્તારમાં ભરવાડ પાડોમાં રહેતી મનુબેન ડાયાભાઈ જાદવ નામની 31 વર્ષની ભરવાડ યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે બેચરભાઈ ભીમાભાઇ જાદવે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પીએસઆઇ એન.પી. જોશી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવતીના પતિનું આજથી અઢી મહિના પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણી ગુમસુમ રહેતી હતી, અને પતિના આઘાતમાં આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

Tags :
deathgujaratgujarat newsjamnagarnews
Advertisement
Advertisement