For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયું

05:15 PM Dec 01, 2025 IST | Bhumika
સાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયું

શહેરના જામનગર રોડ ઉપર રૂૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધિન સાંઢીયા પુલનું કામ ચાલી રહયું છે ત્યાં ગઈકાલે પુલ ઉપર પાણી ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું.જેને કારણે પાણીનો વેડફાટ થયો હતો.આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે ત્યાં આ ટેન્કરને ક્રેઇન દ્વારા સહી સલામત રીતે પુલ પર સરખું મુકવામાં આવ્યું હતું અને આ ઘટનાથી કોઈ મોટી જાનહાની થઈ નહોતી. ઉલ્લેખનિય છે કે,રેલવે ટ્રેકની બરાબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા આજથી ત્રણ મહિના પૂર્વે માંગેલી મંજુરી મળી નથી જેથી મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આ પુલનું લોકાર્પણ થાય તેવી શક્યતા નહિવત બની ગઈ છે, હવે મે-2026 આજુબાજુ ખુલો મુકાય તેવી શક્યતા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement