ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એસ.ટી. બસ પોર્ટ પર વધુ એક વખત કલાકો સુધી પાણીના પરબો બંધ

06:01 PM Jun 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મુસાફરો મિનરલ વોટર ખરીદવા મજબૂર: કસુરવારો સામે પગલા ભરવા એસ.ટી મુસાફર હિત રક્ષકની મુખ્યમંત્રીને ફરિયાદ

Advertisement

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. અહીંથી ગુજરાત ના તમામ શહેરોમાં બસો આવતી જતી રહે છે રોજ 1200 થી વધુ બસો ની અવર-જવર વચ્ચે અંદાજે 70 હજાર મુસાફરો નિયમિત એસ.ટી બસ પોર્ટ પર આવતા જતા રહે છે. હાલ વેકેશન હોય ત્યારે મુસાફરોની હકડેઠઠ મેદની પણ જોવા મળી રહી છે. ગઈકાલે 175 કરોડના ખર્ચે બનાવેલા અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટ પર બપોરના 1-30 થી સાંજે 7-00 કલાક સુધી પીવાના પાણીના તમામ પરબો બંધ કરી દેવામાં આવ્યા હતા.

જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા બસ પોર્ટ પર રૂૂબરૂૂ દોડી જઇ ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈ જયંતીભાઈ સોલંકી ને પરબ પાસે લઈ જઈ પાણીના સર્જાયેલા ધાંધિયા બતાવવામાં આવેલ અગાઉ પણ મેઇન્ટેનન્સના બહાના હેઠળ કલાકો સુધી પાણીના પરબો બંધ કરી દેવાના કરતૂતો કોન્ટ્રાક્ટર અને ડેપો મેનેજર દ્વારા કરવામાં આવ્યા છે તે અંગે સમિતિ દ્વારા વખતો વખત લેખિત મૌખિક અને મેસેજ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. અગાઉ પાણીના પરબો બંધ રહેતા સમિતિ દ્વારા તારીખ 25/02/25, 15/04/25, 19/04/25 અને 06/05/25 દ્વારા રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગ ને કરાયેલી લેખિત રજૂઆતો તુમારશાહીનો ભોગ બની છે.

ઉલ્લેખનીય છે કે એસ.ટી તંત્રને વેકેશન ફળ્યું છે અને રાજકોટ ડિવિઝનને 21 કરોડ રૂૂપિયાની આવક થઈ છે અને ગુજરાત એસ.ટીના 35% ભાડા વધારા સાથે અંદાજે 1500 કરોડ રૂૂપિયા જેવી માતબાર રકમ મળી રહી છે. મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા માટે રાજ્ય સરકારે ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે. અને તેમ છતાં હજારો મુસાફરોને પાણીની સુવિધા માટે વલખા મારવા પડે અને આ અંગે તંત્રને ઢંઢોળવા છતાં જવાબદાર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે નહીં તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી થવી જોઈએ અને ડેપો મેનેજરના ઇજાફા રોકવા જોઈએ ગઈકાલે હજારો મુસાફરોને જ્યારે પાણી માટે આમ તેમ ભટકવું પડ્યું અને પીવાના પાણી માટે વલખાં મારવા પડ્યા જે પગલે સિનિયર ડેપો મેનેજર રાજકોટ અને કોન્ટ્રાક્ટરને ખામીયુક્ત સેવા બદલ એસટી બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી કસુરવાન જણાયે પેનલ્ટી કરી કડક પગલાં ભરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય એસટીના એમડી રાજકોટ વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Bus Portrajkot news
Advertisement
Advertisement