દ્વારકામાં શખ્સ દ્વારા શ્ર્વાનને લાકડીથી મારી બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યાનો વીડિયો વાયરલ
01:06 PM Oct 28, 2025 IST | admin
યાત્રાધામ દ્વારકાના જલારામ સોસાયટી વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શ્વાનને કુરતા સાથે બેરહેમીથી લાકડીના અસંખ્ય પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. રાત્રિના સમયમાં બનેલી આ ઘટના અંગે શ્વાન પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહયો છે. બીજી તરફ શ્વાન જેવા પાલતુ પ્રાણી મનુષ્ય માટે ઉપયોગી હોય વીડીયો વાયરલ થવા છતાં તંત્રએ સમગ્ર બાબતે સૂચક મૌન ધારણ કરી લીધું હોય તેવું જણાઈ રહયુ છે.
Advertisement
Advertisement
