રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવિ ભરથાર સાથે ફોનમાં ઝઘડો થતા વાગ્દત્તાનો એસિડ પી આપઘાત

12:20 PM Jul 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જસદણના સોમ પીપળિયાની ઘટના : જસદણ પોલીસને પાણીના બદલે ભૂલથી એસિડ પી લીધાનું કહી ચકરાવે ચડાવી; મૃત્યુ બાદ માતાએ કર્યો ખુલાસો

જસદણના સોમ પીપળીયા ગામે રહેતી યુવતીને રાજકોટ રહેતા મંગેતરે તેણીની બહેનના પોતાના કુટુંબમાં સગપણ કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થતાં યુવતીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. પરિવારે પોલીસને પાણીના બદલે ભૂલથી એસીડ પી લીધું હોવાનું કહી ચકરાવે ચડાવી હતી બાદમાં યુવતીનું મોત નિપજતા પરિવાર સાચો ખુલાસો કર્યો હતો. યુવતીના મોતથી પરિવાર ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામે રહેતી મમતાબેન વશરામભાઈ ખાવડીયા નામની 18 વર્ષની યુવતી એક વર્ષ પહેલા પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ બાદ અમદાવાદ દાખલ કરવામાં આવી હતી બાદમાં એકાદ માસ પૂર્વે યુવતીની ફરી તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં ટૂંકી દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મમતાબેન ખાવડીયાનું દોઢ વર્ષ પૂર્વે રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા શિવકુ સાથે સગપણ થયું હતું અને શિવકુ વાણોદિયાએ મમતાબેનને પોતાની બંને બહેનોના સગપણ પોતાના કુટુંબમાં કરાવી દેવાનું કહેતા બંને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી જેના કારણે મમતાબેને એસિડ પી લીધું હતું. જે સમયે મમતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે પરિવાર પાણીના બદલે ભૂલથી એસિડ પી લીધું હોવાનું કહી પોલીસને ચકરાવે ચડાવી હતી. બાદમાં એક વર્ષ બાદ યુવતીનું મોત નીપજતા પરિવારે સાચી હકીકત જણાવી હતી. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJasdanJasdan newssuicide
Advertisement
Next Article
Advertisement