For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટ

10:50 AM May 26, 2025 IST | Bhumika
તળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટ

વન વિભાગ દ્વારા તપાસ કરવાની માગણી

Advertisement

ભાવનગર જિલ્લાની તળાજા નગરના પાવઠીરોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં છેલા પખવાડિયા થી ભૂંડ ના ટપોટપ મોત થઈ રહ્યા છે. બે જ દિવસમાં આઠેક ભૂંડ ના મોત થતા સ્થાનિક લોકપ્રતિનિધી ને રહીશોના મૃતભૂંડ ઉપડવાના ફોન રણકી રહ્યા છે. ભૂંડ ના સતત મોત નું કારણ શું તેવા સવાલ સાથે ફફડાટ ફેલાયો છે.

છેલ્લા એકાદ માસ થી તળાજા ના વિવિધ વિસ્તારોમાં ભૂંડ મરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો અને મૃતભૂંડ ને ઉપાડવા માટે કાર્યવાહી કરો ના ફોન રણકી રહ્યા છે.જેમા સૌથીવધુ સ્થિતિ રાધેકૃષ્ણ સોસાયટી ની છે.સ્થાનિક જનપ્રતિનિધી બગુભાઈ ના જણાવ્યા મુજબ છેલા બેજ દિવસ મા આઠેક ભૂંડ મર્યા હોય તેને ઉપડાવવા માટે ના કોલ આવ્યા છે.

Advertisement

કમસેકમ પચાસેક ભૂંડ મર્યાછે. જેને લઈ કોઇ ઈસમો દ્વારા ભૂંડ ને ખાસ મારી નાખવા માટે અજાણ્યા ઈસમો દવા મૂકી રહ્યા છેકે કેમ તેવા સવાલો થઈ રહ્યા છે.તો સામે તર્કપણ થઈ રહ્યો કે કોઈ દવા મુકેતો કૂતરા,રખડુ ગૌધન પણ ખાય ને મરેને?!.

ભૂંડમા જીવલેણ અને વાયરલ ઇન્ફેક્શન સાથેનો રોગચાળો વકરી રહ્યાની વાત ને લઈ ફફડી રહ્યાછે આથી ફોરેસ્ટ વિભાગ,સ્થાનિક પાલિકા તંત્ર આરોગ્ય લક્ષી ત્વરીત પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement