ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલ્હી બ્લાસ્ટના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પ્રવાસ રદ

05:29 PM Nov 12, 2025 IST | admin
Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 13 નવેમ્બરના ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટનની સાથે મહેસાણાના બોરીયાવી ખાતે સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે દિલ્હી ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને લઈને ગૃહ મંત્રી દ્વારા વ્યસ્ત હોવાને લઈને ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

મહેસાણાના બોરીયાવી ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાઈ શકે છે.ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવવાના હતા. અમદાવાદ અને મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં કેન્દ્ર સરકાર ખૂબ જ ગંભીરતાથી આ બાબત પર ધ્યાન રાખી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી અને આ કેસ પર ધ્યાન આપી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસ રદ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags :
amit shahdelhi blastgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement