મોરબીના મકનસર અને જૂની પીપળીમાં બે યુવાનોના આપઘાત
12:29 PM Apr 19, 2025 IST | Bhumika
બન્ને બનાવની પોલીસે તપાસ હાથ ધરી
Advertisement
મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેણાંક મકાનમાં આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેતા રશીકભાઈ રતિલાલભાઈ ચાવડા (ઉ.50)એ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાન ખાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં મોરબીના જૂની પીપળી ગામે યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના જૂની પીપળી ગામે રહેતા નરેશભાઈ કાનજીભાઈ ચૌહાણ (ઉ.41) એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement