ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાત

01:35 PM Nov 06, 2025 IST | admin
Advertisement

કાલાવડના ડાંગરવાડામાં સગીરાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ

Advertisement

ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. બન્ને યુવાને રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપલેટાના કુંઢેચ ગામે રહેતાં જગદીશ ઉર્ફે જીગર કનુભાઈ રાઠવા (ઉ.21)એ ચાર દિવસ પૂર્વે બપોરના સમયે પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. યુવકનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં જામજોધપુરનાં સતાપર ગામે રહેતા અમીત કરશનભાઈ નકુમ (ઉ.46) છ દિવસ પૂર્વે સંધ્યા ટાણે પોતાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઉપરાંત અન્ય બનાવમાં કાલાવડના ડાંગરવાડા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી કાંતાબેન રમેશભાઈ શિંગાળ નામની 17 વર્ષિય સગીરા વાડીએ હતી ત્યારે પોતાની ઓરડીમાં લોખંડના એંગલ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJamjodhpursuicideUpleta news
Advertisement
Next Article
Advertisement