ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વીંછિયાના ભડલીમાં પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીને ઢોરમાર માર્યો

12:40 PM Mar 09, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વિછીયા તાલુકાના ભડલી ગામે રહેતી પરિણીતાના ચારિત્ર ઉપર શંકા કરી પતિએ પાઇપ વડે માર માર્યો હતો પરિણીતાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના ભડલી ગામે રહેતી કાંતાબેન રાજુભાઈ વેદાણી નામની 35 વર્ષની પરિણીતા પોતાની વાડીએ હતી ત્યારે તેના પતિ રાજુ વેદાણીએ ચારિત્ર ઉપર શંકા કરી પાઇપ વડે માર માર્યો હતો.બીજા બનાવમાં રાજકોટમાં રણુજા મંદિર પાસે આવેલા શ્યામ પાર્કમાં રહેતી કાજલબેન પ્રકાશભાઈ પટોડીયા નામની 32 વર્ષની પરિણીતા વીરપુરના મેવાસા ગામે હતી ત્યારે તેના પતિ પ્રકાશ, સસરા મનસુખભાઈ, સાસુ સરોજબેને ધોકા વડે માર માર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં કાજલબેન પટોડીયાના અગાઉ સુરત લગ્ન થયા હતા અને જ્યાં રૂૂપિયા પાંચ લાખ લઇ છૂટાછેડા કર્યા હતા અને તે રૂૂપિયા આવતા સુરતમાં પ્લોટ લીધો હતો બાદમાં પતિ પ્રકાશ પટોડીયાએ તે પ્લોટ આપી દે તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા બનાવમાં કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતી કાજલબેન મનોજભાઈ સોલંકી નામની 26 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કામ મુદ્દે મેણા ટોણા મારી પતિ મનોજ, સસરા હરસુખભાઈ અને દિયર અશ્વિને માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલી ત્રણેય પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
crimecrime newsgujaratgujarat news
Advertisement
Advertisement