ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ

11:12 AM Jan 01, 2025 IST | Bhumika
Advertisement

પોરબંદરનાં શખ્સોને દબોચી રૂા.18.89 લાખની મતા કબજે કરાઇ

Advertisement

જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ મહિલા અને પુત્રવધુ ને બંધક બનાવીને ઘરમાંથી એક લાખની રોકડ. રકમ તથા રૂૂપિયા 13 લાખ ની કિંમતના સોનાના ઘરેણા વગેરે માલમતા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ બાદ તુરંત જ હરકતમાં આવેલી જામનગર ની સિટી એ. ડિવિઝન પોલીસે ચો તરફ તપાસનો ધમધમાટ શરૂૂ કરીને ગણતરીના કલાકોમાં જ લૂંટના આ બનાવ નો ભેદ ઉકેલી નાખી ને પોરબંદર પંથક માંથી બે લૂંટારૂૂઓ ને ઝડપી પાડ્યા છે.

અને તેમની પાસે થી લુંટ કરેલો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ ચાવડા ના માર્ગદશન મુજબ કુલ-12 પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ 3 ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળ ના , કમાન્ડ કંટ્રોલ ના સી.સી.ટી.વી. ફુટેઝ મેંળવી તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો હતો. જેમાં સોર્સ નાં આધારે પોલીસ સ્ટાફ ને આરોપીઓ અંગે માહિતી સાંપડી હતી. અને લુટમાં મોટર સાયકલ નો ઉપયોગ થયેલ હોય અને તે મોટર સાયકલ સાથે બે ઇસમો પોરબંદર તરફ ગયા હોવા ની વિગતો મળી હતી.જેથી અલગ અલગ 3 ટીમો દ્વારા પોરબંદર કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી કેમેરા માં તપાસ કરતાં મોટર સાયકલ સાથે બે આરોપીઓ હિતેષભાઇ પ્રેમજીભાઈ હોડાર, ( જાતે-ખારવા, ઉ.વ.28, રહે .બોખીર વિસ્તાર કે કે.આવાસ બીલ્ડીંગ નં.28 બ્લોક નં.7 પોરબંદર અને ધાર્મીક હરીશભાઇ વરવાડીયા, (જાતે ખારવા, ઉ.વ.21, રહે. બારવાવાડ ભાટીયા બજાર કેશવ સ્કૂલની સામે પોરબંદર ) ને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા.બન્ને આરોપીઓ ની પુછપરછમાં પોતે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી બન્ને ઇસમો પાસે થી લુટમાં ગયેલ આશરે 240 ગ્રામ (24 તોલા) ના દાગીનાની કુલ કિ.રૂૂ.17,59,372 , તથા રોકડા રૂૂ.70,000 , તથા મોટર સાયકલ કિ.રૂૂ.50,000 ,તથા બે મોબાઇલ ફોન કિ.રૂૂ.10,000 મળી કુલ મુદામાલ કિ .રૂૂ 18.89,372 નોં કબજે કરવામાં આવ્યો છે.આમ જામનગર પોલીસે ગણતરી ની જ કલાકો માં જ લૂંટના ગુના નો ભેદ ઉકેલી નાખી બે આરોપી ઓ ને પકડી પડ્યા છે. બંને આરોપી ઓ ને અટક કરી રીમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.

આ કામગીરી પો.ઇન્સ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ. કરણસિહ પી. જાડેજા, પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એમ. જાડેજા, પો.કોન્સ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ નીરૂૂભા સોઢા, વિપુલભાઇ જે. સોનગરા તથા સંદિપભાઇ દ્વારા કરવામાં આવી હતી.

Tags :
jamanagrjamnagar news
Advertisement
Next Article
Advertisement